For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગતસિંહને ન આપી શકાય શહીદનો દરજ્જોઃ પંજાબ સરકાર

પંજાબમાં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો નહિ આપવામાં આવે. પંજાબ સરકારે શહીદોની અધિકૃત યાદીની માંગ પર જવાબ આપતા આ કહ્યુ.

|
Google Oneindia Gujarati News

પંજાબમાં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો નહિ આપવામાં આવે. પંજાબ સરકારે શહીદોની અધિકૃત યાદીની માંગ પર જવાબ આપતા આ કહ્યુ. પંજાબ સરકારે સંવિધાનના આર્ટીકલ 18 નો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે એબોલિશન ઓફ ટાઈટલ્સ નિયમ હેઠળ ભગતસિંહ ઔપચારિક રીતે શહીદ ન કહેવાઈ શકે. પંજાબ સરકારે જણાવ્યુ કે રાજ્ય સરકારની પાસે આનો કોઈ અધિકાર નથી.

વકીલે લખી હતી ચિઠ્ઠી

વકીલે લખી હતી ચિઠ્ઠી

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં વકીલ હરિચંદ અરોડાએ પંજાબ સરકારને ચિઠ્ઠી લખીને પૂછ્યુ હતુ કે શું પંજાબમાં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો છે. સાથે જ તેમણે સરકાર પાસે શહીદોની અધિકૃત યાદી પણ તેમને આપવાની માંગ કરી હતી. આના જવાબમાં સરકારે જણાવ્યુ કે અધિકૃત રીતે તેમની પાસે આમ કરવાનો અધિકાર જ નથી.

દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાનો હવાલો

દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાનો હવાલો

પંજાબ સરકારે આ ચિઠ્ઠીના જવાબમાં દિલ્હી હાઈકોર્ટના એક ચૂકાદાનો ઉલ્લેખ કર્યો છે. વિરેન્દ્ર સાંગવાન વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ અધર્સના કેસમાં ડિસેમ્બર 2017 માં અદાલતે કહ્યુ હતુ કે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો આપવાની યાચિકાકર્તાની અપીલનો કોઈ સંવિધાનિક અધિકાર નથી અને એટલા માટે આ યાચિકા ફગાવી દેવામાં આવી છે.

સમય સમય પર ઉઠતી રહી છે માંગ

સમય સમય પર ઉઠતી રહી છે માંગ

પંજાબ અને દેશભરમાં ભગત સિંહના કેસ અને તેમને શહીદનો દરજ્જો આપવાની માંગ જૂની છે. લાહોરમાં પણ તેમના કેસને ખોલવાની માંગ કરાતી રહી છે. વળી, ભગત સિંહ અને તેમના સાથીઓને શહીદનો દરજ્જો અપાવવા અંગે જબર વિરોધી સંઘર્ષ સમિતિના કન્વીનર જસવંત સિંહ ભારટા આઠ દિવસોથી પંજાબમાં ભૂખ હડતાળ કરી રહ્યા છે.

English summary
punjab government says cannot confer martyr status bhagat singh rajguru
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X