પંજાબઃ માન સરકારનો બાસમતી ચોખાને લઈને મોટો નિર્ણય, 10 જંતુનાશકો પર લગાવ્યા પ્રતિબંધ
મુખ્યમંત્રી ભગવંત માન સરકારે બાસમતી ચોખાને લઈને જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ જાહેર કરી છે.
ચંદીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માન સરકારે બાસમતી ચોખાની નિકાસને અવરોધતા અમુક જંતુનાશકોના વેચાણ, સંગ્રહ, વિતરણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ જાહેર કરી છે. કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે અગાઉથી જ કૃષિ વિભાગના અધિકારીઓને નકલી અને બિન-માનક જંતુનાશકોના વેચાણ પર નજર રાખવા જણાવ્યુ હતુ. આ સાથે આવા મામલામાં જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યુ કે બાસમતી ચોખાની ગુણવત્તા સુધારવા માટે ખેડૂતોની તરફેણમાં આ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતાં કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યુ હતુ કે પ્રતિબંધિત જંતુનાશકોનો ઉપયોગ બાસમતી ચોખા ઉત્પાદકોના હિતમાં ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસેફેટ, બ્યુપ્રોફેઝીન, ક્લોરોપીરીફોસ, મેથામિડોફોસ, પ્રોપીકોનાઝોલ, થિયામેથોક્સમ, પ્રોફેનોફોસ, આઈસોપ્રોથિઓલેન, કાર્બેન્ડાઝીમ ટ્રાઈસાયક્લોઆઝોલ જેવા આ જંતુનાશકોની ખરાબ અસર ચોખા પર થઈ રહી હતી. બાસમતી ચોખાની નિકાસ અને વપરાશમાં પણ આ અવરોધો બની રહ્યા હતા.
ધાલીવાલે વધુમાં જણાવ્યુ હતુ કે ઉપરોક્ત જંતુનાશકોને પંજાબમાં 60 દિવસની સમય મર્યાદા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે જેથી કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા બાસમતી ચોખાનુ ઉત્પાદન કોઈપણ અવશેષ વિના કરી શકાય. નિષ્ણાતોના મતે આ કૃષિ રસાયણોના ઉપયોગને કારણે બાસમતી ચોખામાં જંતુનાશક અવશેષો સક્ષમ અધિકારી દ્વારા નિર્ધારિત મેક્સિયમ રેસિડ્યુઅલ લેવલ (MRL) કરતાં વધી જવાનો ભય છે. પંજાબ રાઇસ મિલ્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન દ્વારા એવુ પણ જાણવા મળ્યુ છે કે તેમના દ્વારા પરીક્ષણ કરાયેલા ઘણા નમૂનાઓમાં અવશેષનુ મૂલ્ય બાસમતી ચોખામાં MRL નિર્ધારિત જથ્થા કરતાં ઘણુ વધારે હોવાનુ જાણવા મળ્યુ છે.
નોંધનીય છે કે એસોસિએશને પંજાબની હેરિટેજ બાસમતી પેદાશોને બચાવવા અને અન્ય દેશોમાં બાસમતી ચોખાની નિકાસ કરવા માટે આ કૃષિ રસાયણો પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. જો કે, પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU) લુધિયાણાએ બાસમતી ચોખાની જીવાતોને નિયંત્રિત કરવા માટે ઓછા અવશેષો ધરાવતા ખેતી રસાયણોની ભલામણ કરી છે જે બજારમાં ઉપલબ્ધ છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
