પુરી રથયાત્રા: નાસભાગમાં 2ના મોત, રથયાત્રાને જુઓ તસવીરોમાં
પુરી, 18, જુલાઇ: પુરીમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા સૌથી પૌરાણિક માનવામાં આવે છે. બધું સર્વ સામાન્ય હતું પરંતુ રથયાત્રામાં મચેલી ભાગદોડમાં 2 મહિલાઓના મોત થઇ ગયા, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલભેગા કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોમાં 2 લોકોની હાલત નાજૂક છે.
પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આગવું મહત્વ હોવાના કારણે તેની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના દર્શન કરવા અત્રે આવી પહોંચે છે.
આવો જોઇએ પુરીમાં યોજાયેલ આ રથયાત્રાની તસવીરી ઝલક...
|
પુરી રથયાત્રા
કંઇક આવો નજારો હોય છે પુરી રથયાત્રાનો...
|
રથયાત્રાની શરૂઆત
રથયાત્રાની શરૂઆત કંઇ આ રીતે થઇ.
|
પુરી રથયાત્રા
પુરીમાં હજારો-લાખોની સંખ્યામાં ભક્તો જગન્નાથના દર્શને ઉમટી પડે છે.
|
પુરીમાં ભાગદોડ
પુરીમાં ભાગદોડ મચતા બે મહિલાઓના મોત થઇ ગયા છે.
|
પુરી રથયાત્રા
જય જગન્નાથ રથયાત્રા પુરીમાં આગવું મહત્વ ધરાવે છે.