2019 માટે રાહુલ, અખિલેશ અને તેજસ્વી યાદવે બનાવી આ રણનીતિ
2019 માટે રાહુલ, અખિલેશ અને તેજસ્વી યાદવે બનાવી આ રણનીતિ
નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને સત્તા પરથી બેદખલ કરવા માટે એક સુપર પ્લાન પર કામ કરી રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર પ્રિયા સહગલે પોતાના લેટેસ્ટ પુસ્તકમાં આ અંગે ખુલાસો કર્યો છે. સાથે જ એમણે પોતાના પુસ્તકમાં જણાવ્યું કે રાહુલ ગાંધી પોતાની જૂની પાર્ટીને મહિલાવાદી પાર્ટીના રૂપમાં જુએ છે, ન કે પશ્ચિમ શબ્દના અર્થમાં. જણાવી દઈએ કે ટૂંકમાં જ લૉન્ચ થનાર આ બુકમાં પ્રિયા સહગલે દેશના 16 ઉભરતા યુવા નેતાઓ અને એમની રાજનીતિ પર પણ વિસ્તારથી વર્ણન કર્યું છે.

મનમોહન સિંહે રાહુલ ગાંધીને આ વાત કહી
ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ આ બુકમાં લેખકે દાવો કર્યો કે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા યુવાનો 2019માં થનાર લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકારનો સફાયો કરવા માટે કામ કરી રહ્યા છે. પ્રિયાએ આ બુકમાં રાહુલ ગાંધીની સાથે એક બેઠક વિશે પણ ઉલ્લેખ કર્યો, જ્યારે યુપીએ સરકાર સત્તામાં હતી અને ડૉ. મનમોહન સિંહે એમને સરકારમાં આવવાની ઑફર કરી હતી. એમણે કહ્યું કે રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ કોઈની ટાઈમલાઈન મુજબ કામ નથી કરતા, તેઓ ખુદની ટાઈમ લાઈન પર કામ કરે છે.

કોઈપણ કિંમતે ભાજપને હરાવવાનો પ્રયાસ
સાથે જ પ્રિયાએ કહ્યું કે રાહુલ ગાંધીને લોકો વધુ આક્રમક જોવા માગે છે. પ્રિયાએ જણાવ્યું કે વર્તમાનમાં રાહુલ ગાંધી પણ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. સાથે જ પ્રિયાએ પોતાના પુસ્તકમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા સહિતના એવાં 12 રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે જેના પર રાહુલ ગાંધીની નજર છે. કેમ કે અહિંથી 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂતી મળશે.

2024 માટે આ છે કોંગ્રેસનો પ્લાન
પ્રિયાએ પોતાના પુસ્તકમાં જણાવ્યું કે 2024 માટે રાહુલ ગાંધીનો લક્ષ્ય એકદમ અલગ છે. કોંગ્રેસ અધ્યક્ષને ત્યાં સુધીમાં ખુદને એક વિશ્વસનીય વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપે સ્થાપિત કરવાની અપેક્ષા છે. આ વિચારની સાથે જ રાહુલ ગાંધીની નજર એવા 12 રાજ્યો પર છે જ્યાં પાર્ટી ખુદને મજબૂત કરવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. પ્રિયાએ કહ્યું કે કોંગ્રેસે ભારતીય રાજનીતિ વિશે ડિબેટ કરવા માટે યુવાઓને મોકો આપી રહી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા




Click it and Unblock the Notifications
