રાહુલ ગાંધીનું માનસિક સંતુલન ઠીક નથી: ઉમા ભારતી
રાહુલ ગાંધીના 1984 શીખ દંગા વિશે આપેલા નિવેદન પછી બીજેપી નેતા ઉમા ભારતીએ હવે તેમના પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીના 1984 શીખ દંગા વિશે આપેલા નિવેદન પછી બીજેપી નેતા ઉમા ભારતીએ હવે તેમના પર નિશાન સાધ્યું છે. મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રીએ તો તેમને માનસિક રોગી ગણાવ્યો છે. રવિવારે સિહોરના પ્રાચીન ગણેશ મંદિરના દર્શન માટે પહોંચેલી ઉમા ભારતીએ દર્શન પછી મીડિયા સાથે વાતચીત કરી અને કહ્યું કે રાહુલ ગાંધી જે બોલે છે અને કરે છે તે બધું સાંસદમાં બધાએ જોયું છે. પરંતુ હાલમાં તેમને જે કહ્યું છે તેનાથી કોંગેસી પણ સન્ન રહી ગયા છે.
રાહુલ ગાંધીનું માનસિક સંતુલન ઠીક નથી
ઉમા ભારતીએ કહ્યું કે 1984 શીખ દંગામાં કોંગ્રેસની કોઈ ભૂમિકા ના હતી, જયારે બધા જ કેસ કોંગ્રેસના લોકો પર જ ચાલ્યા છે. ઘણા નેતાઓ જેલ પણ ગયા. આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિને ખબર નથી કે શુ બોલવું અને શુ કરવું તેવા વ્યક્તિના માનસિક રૂપે સ્વસ્થ થવા માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ.
મને તો કોંગ્રેસની ઘણી ચિંતા થઇ રહી છે: ઉમા ભારતી
મને તો કોંગ્રેસની ઘણી ચિંતા થઇ રહી છે કારણકે જે પાર્ટીએ મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા મહાપુરુષ આપ્યા, આજે તે પાર્ટીની કમાન એક એવા વ્યક્તિના હાથમાં છે જે માનસિક રૂપે સ્વસ્થ નથી.
શુ કહ્યું હતું રાહુલ ગાંધીએ?
આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે 1984 શીખ દંગા દરમિયાન કોંગ્રેસ શામિલ ના હતી. ત્યારપછી અકાલીદળ સહીત ઘણી વિપક્ષી પાર્ટીઓ ઘ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા છે.
હરસિમરત કૌર બાદલ
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધી અનુસાર જો શીખ નરસંહાર થયો નહીં થયો હતો તો આજે હું કહું છું કે તેમની દાદી અને પિતાની હત્યા થયી ના હતી, પરંતુ બંનેની મૌત હાર્ટ એટેક ઘ્વારા થઇ હતી.