RSS ચીફ મોહન ભાગવતે સેનાનું કર્યું અપમાન? રાહુલે કહ્યું શરમ કરો
આરએસએસના મોહન ભાગવતની સેના પર ટિપ્પણી બની વિવાદનું કારણ. રાહુલ ગાંધી સમેેત સમાજવાદી પાર્ટી કરી ટીકા. વધુ વાંચો અહીં.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવારે ભારતીય સેના મામલે એક વિવાદિત નિવેદન આપ્યું છે. બિહારના મુઝફ્ફરપુરમાં સ્વયંસેવકોને અનુશાસનના પાઠ ભણાવતા મોહન ભાગવતે કહ્યું કે આપણે કોઇ મિલેટ્રી સંગઠન નથી. પણ આપણું અનુશાસન તેમના જેવું જ છે. દેશને ક્યારેક આપણી જરૂર પડે અને આપણું સંવિધાન તેની હા પાડે તો આપણે તૈયાર છીએ. ભારતીય સેનાને તો તૈયાર કરતા 6 થી 7 મહિનાનો સમય લાગે છે પણ આપણા સ્વંયસેવકો આ કામ ખાલી બે થી ત્રણ દિવસમાં કરી શકવામાં સક્ષમ છે. ત્યારે મોહન ભાગવતના ભાષણનો આ વીડિયો વાયરલ થતા હવે તેમનું આ નિવેદન વિવાદોનું કારણ બન્યું છે. જે પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ નિશાનો તાક્યો છે.

રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યું છે કે આરએસએસ પ્રમુખનું ભાષણ દરેક ભારતીયનું અપમાન છે. આ તે લોકોનું અપમાન છે જે આપણા દેશ માટે શહીદ થઇ ચૂક્યા છે. આ આપણા ધ્વજનું અપમાન છે કારણ કે પ્રત્યેક સૈનિક તે ધ્વજને સલામ કરે છે. આ આપણા શહીદો અને આપણી સેનાનું અપમાન છે. અને આ માટે શ્રી ભાગવતને શર્મ આવવી જોઇએ.

તો બીજી તરફ આગરામાં સમાજવાદી પાર્ટીના નેતાઓએ આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પર ભારતીય સેનાનું અપમાન કર્યો હોવાનો આરોપ લગાવીને આરએસએસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. વધુમાં તેમનું પૂતળું પણ બાળ્યું હતું. સાથે જ મોહન ભાગવતને આ મામલે જાહેરમાં માફી માંગવાની વાત પણ કરી હતી. આમ ભાગવતના નિવેદન પછી આ મુદ્દા હાલ ચર્ચાનું કારણ બન્યું છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
