5 હત્યાઓના કેસમાં રામપાલને ઉમરકેદની સજા
સતલોક આશ્રમ પ્રકરણમાં 4 મહિલા અને એક બાળકની હત્યાના કેસમાં આશ્રમ સંચાલક રામપાલને હિસાર કોર્ટે આજે સજા સંભળાવી છે.
સતલોક આશ્રમ પ્રકરણમાં 4 મહિલા અને એક બાળકની હત્યાના કેસમાં આશ્રમ સંચાલક રામપાલને હિસાર કોર્ટે આજે સજા સંભળાવી છે. 5 લોકોની હત્યાના આ કેસમાં હિસાર કોર્ટે રામપાલને ઉમરકેદની સજા સંભળાવી છે. કોર્ટે રામપાલ સાથે બીજા 14 દોષીઓને પણ ઉમરકેદની સજા સંભળાવી છે. આ મામલે હિસાર કોર્ટે સતલોક આશ્રમ સંચાલક રામપાલને દોષી જાહેર કર્યો છે.
બીજી એક મહિલાના મૃત્યુના બીજા કિસ્સામાં, 14 આરોપીઓના ચુકાદાની જાહેરાત 17 ઑક્ટોબરે કરવામાં આવશે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હિસાર અને આજુબાજુના વિસ્તારોમાં ચુકાદો આવે તે પહેલાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવી છે. આજે પણ કડક સલામતીના પગલાં લેવામાં આવ્યા છે. 16 ઓક્ટોબરના રોજ એફઆઈઆર નં. 429 અને એફઆઈઆર નં. 430 પર 17 ઓક્ટોબરે સજા સંભળાવવામાં આવશે. 17 ઓક્ટોબર સુધી આખા વિસ્તારમાં ધારા 144 લાગુ રહેશે અને સુરક્ષાકર્મી પણ હાજર રહેશે.
આ પણ વાંચો: રામપાલના રૂમમાંથી મળી પ્રેગ્નેંસી ટેસ્ટ કિટ
2006 માં સતલોક આશ્રમની બહાર ફાયરિંગમાં એક યુવાન માણસનું મોત થયું હતું. આ કિસ્સામાં, હિસાર કોર્ટમાં રામપાલને હાજર થવાનું હતું, જ્યાં રામપાલના સમર્થકો ઘ્વારા હંગામો કરવામાં આવ્યો. આ પછી, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે રામપાલ સામે ગેર જમાનતી વોરંટ જાહેર કર્યું. બે તારીખો આપ્યા પછી પણ, રામપાલ હાઇ કોર્ટમાં હાજર નહોતા થયા. પાછળથી, પોલીસે કોર્ટના ઠપકો પરની કાર્યવાહી શરૂ કરી. 19 નવેમ્બર, 2014 ના રોજ, 56 કલાક ઓપરેશન પછી, રામપાલે આત્મસમર્પણ કર્યું. આ બનાવમાં છ લોકો માર્યા ગયા હતા.