For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરવાનું પસંદ કરીશ પણ મારો ધર્મ સાબિત નહિ કરુંઃ મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે કહ્યું કે તેમના માટે ધર્મ સાબિત કરવાથી વધુ મરી જવું સારું. મુખ્યમંત્રીએ ભાપને પડકાર આપ્યો છે કે તેઓ તૃણમૂલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે કહ્યું કે તેમના માટે ધર્મ સાબિત કરવાથી વધુ મરી જવું સારું. મુખ્યમંત્રીએ ભાપને પડકાર આપ્યો છે કે તેઓ તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવેલ ધાર્મિક ગતિવિધિઓની સરખામણી પહેલાવાળી રાજ્ય સરકારથી કરે. તેમણે કહ્યું કે જૂની સરકારોની અપેક્ષાએ તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં વ્યાપક તરીકે દુર્ગા પૂજા કરવાનું આયોજન થયું. બંગાળના 15મી સદીના વિખ્યાત સંત ચૈતન્ય મહાપ્રભુ પર બનેલ એક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરતા તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, 'હું હિન્દુ છું પરંતુ મારા મનમાં દરેક પંથ અને ધર્મ માટે શ્રદ્ધા છે.'

mamata banerjee

ભાજપનું નામ લીધા વિના મમતા બેનરજીએ કહ્યું કે, મારા માટે કોઈ મંદિરમાં પ્રવેશ પહેલા ખુદનો ધર્મ સાબિત કરતા પહેલા મરી જવું વધુ સારું રહેશે. તમે કોઈ નથી કે જેની સમક્ષ મારે મારો ધર્મ સાબિત કરવો પડે. મમતા બેનરજીએ કહ્યું કે તેમને પડકાર આપું છું કે અમારી આઠ વર્ષના સરકારના ધાર્મિક કાર્યોની સરખામણી તેઓ જૂની સરકારોથી કરે. અમે માનવતામાં વિશ્વાસ કરીએ છીએ અને ધર્મનો મતલબ માનવતા હોય છે. જે આપણને બધા મનુષ્ય પ્રત્યે પ્રેમ અને આદર કરતા સીખવે છે.

ધર્મ આપણને લોકોને ભાગલા પાડવાની શિક્ષા નથી આપતો. મુખ્યમંત્રીએ કહ્યું કે ચૈતન્ય મહાપ્રભુએ લોકોને પ્રેમ અને શાંતિનો ઉપદેશ આપ્યો. લોકોએ તેમના પર હુમલો કર્યો જેવું કે સમાજ સુધારક રાજા રામમોહન રૉય પર પણ થયું પરંતુ આ લોકો ક્યારેય પાછળ ન હટ્યા.

આ પણ વાંચો- ચીનની સેના હૉંગકૉંગ તરફ આગળ વધી રહી છેઃ ટ્રમ્પ

English summary
rather die that proving my religion says mamata banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X