RBI રૂ. 200 અને રૂ. 2000 નોટ એક્સચેન્જ કરવાની મંજૂરી આપશે
5, 10, 20, 50, 100, 500 અને રૂ. 1000 ની નોટો જો સારી સ્થિતિમાં ના હોય તો એક્સચેન્જ માટેની પરવાનગી આપવામાં આવી છે.
જો તમારી રૂ. 200 અને રૂ. 2000 ની નોટો બ્લીડ રંગની હોય અથવા ફાટી ગઈ હોય અને તેને કોઈ બેંકમાં એક્સચેન્જ કરાવવાની મુશ્કેલ લાગે તો અત્યાર સુધી આ સુવિધા માટે કોઈ કાયદો નહોતો. ગયા અઠવાડિયામાં જ નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલમાં નિયમમાં જરૂરી ફેરફાર કરવાની શરૂઆત કરી છે જે 5, 10, 20, 50, 100, 500 અને રૂ. 1000 ની નોટો જો સારી સ્થિતિમાં ના હોય તો એક્સચેન્જ માટેની પરવાનગી આપી છે.
ટૂંક સમયમાં જ બેંકોને આ બે નવી નોટોનું વિનિમય કરવાની સત્તા આપવામાં આવશે. આ ફેરફારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (નોટ રિફંડ) નિયમો 2009 માં શામેલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે આ ફેરફાર લાવવા આરબીઆઈને આગળ કર્યા છે. હવે આરબીઆઈ બોર્ડ દ્વારા મંજૂરીની જરૂર પડશે. આરબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ આગામી દિવસોમાં આ બાબતે આગળ વધશે તેવી અપેક્ષા છે.
ગયા વર્ષે રિઝર્વ બેંકના સ્પષ્ટીકરણ બાદ બેંકોએ રંગીન નોટોનું ચલણ શરૂ કર્યુ હતુ. આરબીઆઈએ સ્પષ્ટતા કરી હતી કે કેટલાક લોકોએ નોંધ્યુ છે કે નવી ચલણી નોટો બ્લીડ કલરની હતી. જો કે ધિરાણકર્તાઓએ રૂ. 200 અને રૂ. 2000 ના ભાવિ ચલણના વિનિમય પર અમુક રિઝર્વેશન છે કારણકે આરબીઆઈ માર્ગદર્શિકા તેમને આમ કરવાની મંજૂરી આપી નહોતી.