‘વાજપાઇ કહેશે તો પરત કરી દઇશ ભારત રત્ન’
અમર્ત્ય સેને કહ્યું કે, જો અટલ બિહારી વાજપાઇ કહેશે તો ભારત રત્ન પરત કરી દઇશ. અમર્ત્ય સેનનું આ િનિવેદન ઘણું બધું કહી જાય છે. અર્થશાસ્ત્રમાં પોતાના યોગદાન માટે 1998માં નોબેલ પુરસ્કારથી સન્માનિત સેનને 1999માં અટલ બિહારી વાજપાયીની નેતૃત્વવાળી એનડીએ સરકારે ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.
નોંધનીય છે કે, તાજેતરમાં અમર્ત્ય સેને સીએનએન આઇબીએનને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે પીએમ પદ માટે મોદી તેમને પસંદ નથી. સેનના આ નિયમ પર ભાજપ લાલઘુમ થઇ ગયું હતું. ભારતના સૌથી મોટા સન્માનથી નવાજવામાં આવેલા જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પાસેથી આ સન્માન પરત લઇ લેવાની ધમકી આપવામાં આવી.
ભાજપના રાજ્યસભાના સાંસદ ચંદન મિત્રાએ 23 જુલાઇએ ટ્વિટ કર્યું હતું કે, અમર્ત્ય સેન કહે છે કે, તેઓ નથી ઇચ્છતા મોદી ભારતના પીએમ બને. શું સેન ભારતના મતદાતા છે? આગામી એનડીએ સરકારે તેમની પાસેથી ભારત રત્ન પરત લઇ લેવો જોઇએ.