For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘સબરીમાલાને લડાઈનું મેદાન બનાવવા ઈચ્છે છે સંઘ પરિવાર': સીએમ વિજયન

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર કેરલના સીએમ પિનારાઈ વિજયને પોતાની પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

કેરળના સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેસ બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન ભડકેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ હિંસક પ્રદર્શન થયા જેમાં એક ભાજપ કાર્યકર્તાનું મોત થઈ ગયુ હતા. વળી, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર કેરલના સીએમ પિનારાઈ વિજયને પોતાની પ્રતિક્રિયા આપી છે.

CM Pinarayi Vijayan

સીએમ પિનારાઈ વિજયને કહ્યુ છે કે મહિલાઓને સુરક્ષા આપવી સરકારની જવાબદારી છે. સરકારે આ જવાબદારી નિભાવી છે. તેમણે આરએસએસ પર હુમલો કર્યો અને કહ્યુ કે સંઘ પરિવાર સબરીમાલાને લડાઈનું મેદાન બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે આ હિંસામાં રાજ્ય પરિવહનની 79 બસોને નુકશાન પહોંચાડવામાં આવ્યુ, 39 પોલિસકર્મીઓ પર હુમલા કરવામાં આવ્યા જ્યારે 7 પોલિસ વાહન પણ ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા છે. મીડિયાકર્મીઓ પર પણ હુમલા કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આજે પણ સબરીમાલા કર્મા સમિતિ અને ભાજપના કાર્યકર્તા સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કાલે બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા જે બાદ મંદિરને પૂજારીઓ દ્વારા બંધ કરીને શુદ્ધિકરણ કરવામાં આવ્યુ હતુ. સબરીમાલા મુદ્દે કેરલ સરકારના વલણનું ભાજપ સતત વિરોધ કરી રહ્યુ છે.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુની 2014 સાથે તુલના, જાણો શું છે ફરકઆ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુની 2014 સાથે તુલના, જાણો શું છે ફરક

English summary
Sabarimala Temple women entry issue: Kerala CM Pinarayi Vijayan attacks rss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X