For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1984ના સિખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને ઉંમર કેદ

1984ના સિખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસ નેતાને ઉંમર કેદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લગભગ 34 વર્ષ બાદ 1984 સિખ રમખાણો સાથે જોડાયેલ એક મામલામાં દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યો છે. સજ્જન કુમારને રમખાણો ભડકાવવાનો દોષી માનવામાં આવ્યો છે. આ કેસમાં સીબીઆઈ, પીડિતો અને દોષિતો તરફથી દાખલ કરેલ અપીલ પર સુનાવણી બાદ અદાલતે પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો.

દિલ્હી હાઈકોર્ટે ઉંમર કેદની સજા ફટકારી

દિલ્હી હાઈકોર્ટે ઉંમર કેદની સજા ફટકારી

સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટે ઉંમર કેદની સજા સંભળાવી છે. દિલ્હી હાઈકોર્ટે 1984માં રમખાણોનું અપરાધિક ષડયંત્ર રચવા માટે દોષિત કરાર આપવામાં આવ્યો છે. અગાઉ 1984 સિખ રમખાણો મામલે નેતા સજ્જન કુમારને નીચલી કોર્ટમાં છોડી મૂકવામાં આ્યો હતો. સજ્જન કુમાર ઉપરાંત બાકી અન્ય આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા જેમાં પૂર્વ કોંગ્રેસ પાર્ષદ બલવાન ખોખર, કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ સાથે અન્ય બે લોકો પણ સામેલ હતા.

સજ્જન કુમાર દોષિત

સજ્જન કુમાર દોષિત

દિલ્હી હાઈકોર્ટનો ફેસલો એવા સમયે આવ્યો છે જ્યારે કોંગ્રેસ પાર્ટીના ત્રણ મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખીય છે કે આજે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના ત્રણ મુખ્યમંત્રીઓ આજે શપથ ગ્રહણ કરી રહ્યા છે.

પાંચ સિખોની હત્યા મામલે આવ્યો ફેસલો

પાંચ સિખોની હત્યા મામલે આવ્યો ફેસલો

અગાઉ સુનાવણી દરમિયાન શુક્રવારે 1984ના સિખ વિરોધી રમખાણોના સાક્ષી બીવી ચામ કૌરે સજ્જન કુમારની ઓળખ કરી લીધી હતી. સીબીઆઈએ 1 નવેમ્બર 1984ના રોજ દિલ્હી કૈંટના રાજ નગર વિસ્તારમાં પાંચ સિખોની હત્યાના મામલામાં સજ્જન કુમારને છોડી મૂકવામાં આવ્યા બાદ નીચલી અદાલતના ફેસલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

જાણો, ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં કેટલો થયો ખર્ચો જાણો, ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં કેટલો થયો ખર્ચો

English summary
sajjan kumar convicted in anti sikh riots 1984
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X