એક જાસૂસને આટલું રાજકીય સમ્માન શા માટે?
એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન ઇકબાલે જણાવ્યું કે પાકિસ્તાનની સરકાર રો અને આઇબીના એજેન્ટોની સાથે એવી જ બર્બર્તા કરે છે જેવી જાસૂસો સાથે થવી જોઇએ. આ ચર્ચાની પેનલમાં સામેલ એક ભારતીય પૂર્વ ભારતીય જાસૂસ મહેબૂબ ઇલાહીએ પાકિસ્તાનની જેલમાં ભારતીય કેદીયોની સાથે થનાર બર્બરતાની બધી વાત કરી.
આ દરમિયાન મહેબૂબે જણાવ્યું કે તેમણે પાકિસ્તાનની જેલોમાં વીસ વર્ષથી વધારે સમય કાઢ્યો છે. આ દરમિયાન તેમને ખૂબ જ યાતનાઓ ભોગવવી પડી હતી. મહેબૂબે પોતાના ઝખ્મોને પણ મીડિયાની સામે મૂક્યું. મહેબૂબે દાવા પર જાવેદ ઇકબાલે જણાવ્યું કે જો ભારતીય કેદીયોની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે તો આપ કેવી રીતે બચીને આવતા રહ્યા? ત્યારે મહેબૂબે જણાવ્યું કે પાકિસ્તાનમાં ભારતીય કેદીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે.
સરબજીતની મૂક્તિ માટેની માંગ કરનાર પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ જણાવ્યું કે તેમની પર દલબીર કૌરે પર આરોપ લગાવ્યા છે તે બધા ખોટા છે.
ઉલ્લેખનીય છે કે સરબજીતની બહેને બર્ની પર આરોપ લગાવ્યો છે કે તેમની પાસે પોતાના ભાઇને મૂક્ત કરાવવા માટે 25 કરોડની માંગ કરી હતી. જેના પર દલબીરે જણાવ્યું હતું કે તેમની પાસે 25 કરોડ નથી, તો બર્નીએ જણાવ્યું કે બે કરોડ આપી દો. સવારે રૂપિયા આપો અને સાંજે સરબજીતને લઇ જાવ. બર્નીએ એવું પણ કહ્યું કે દલબીર પોતાના ભાઇ પર રાજકારણ કરી રહી છે.