સત્યપાલ મલિક બન્યા મેઘાયલના નવા રાજ્યપાલ
ગોવાના ઉપરાજ્યપાલ સત્યપાલ મલિકની ટ્રાન્સફર કરીને તેમને મેઘાલયના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ ગોવાના ઉપરાજ્યપાલ સત્યપાલ મલિકની ટ્રાન્સફર કરીને તેમને મેઘાલયના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. વળી, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ગોવાનો અધિક કાર્યભાર આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનથી જારી પ્રેસ રિલીઝ અનુસાર આ ટ્રાન્સફર એ તારીખથી પ્રભાવી થશે જ્યારે તે કાર્યભાર સંભાળશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 25 ઓક્ટોબરે મલિકને ગોવાના રાજ્યપાલ નિયુક્ત કર્યા હતા. તેમણે મૃદુલા સિન્હાનુ સ્થાન લીધુ હતુ. સિન્હાનો કાર્યકાળ 31 ઓગસ્ટે ખતમ થઈ ગયો હતો. આ પહેલા સત્યપાલ મલિક જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા. અનુચ્છેદ 370ને રદ કરાવા સાથે જમ્મુ કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લેવાયા બાદ તેનુ વિભાજન કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશ (જમ્મુ કાશ્મીર અને લદ્દાખ) બનાવતી વખત સુધુ મલિક રાજ્યના રાજ્યપાલ હતા. હવે તેમની નવી નિયુક્તિ મેઘાલયમાં કરવામાં આવી છે.
મલિકને 2018માં અમુક મહિનાઓ માટે ઓરિસ્સાનો વધારાનો પ્રભાર પણ આપવામાં આવ્યો હતો. સત્યપાલ મલિકે 1989થી 1991 સુધી અલીગઢ સંવિધાર સભાનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. તે 1980-86 અને 1986-1992 સુધી ઉત્તર પ્રદેશની રાજ્યસભાના સભ્ય રહ્યા.
Satya Pal Malik, Governor of Goa transferred & appointed as Governor of Meghalaya, and Bhagat Singh Koshyari, Governor of Maharashtra to discharge the functions of the Governor of Goa in addition to his own duties. pic.twitter.com/bsfaeQYgTe
— ANI (@ANI) August 18, 2020
સુશાંત સિંહ રાજપૂતના મેેનેજરનો ખુલાસો, આ રીતે થઈ હત્યા