For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરસ્પર સમજૂતીથી રામ મંદિરનો પ્રશ્ન ઉકેલોઃ SC

સુપ્રીમ કોર્ટે આ મામલે બંન્ને પક્ષોને સામ-સામે બેસી પરસ્પર સમજુતીથી ઉકેલ શોધવાનું સૂચન કર્યું છે તથા જરૂર પડતાં મધ્યસ્થી બનવાની તૈયારી બતાવી છે.

|
Google Oneindia Gujarati News

રામ મંદિર ના મામલા અંગે સુપ્રીમ કોર્ટે અગત્યનું સૂચન કરતા કહ્યું છે કે, આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. આવા મુદ્દાનો ઉકેલ બંન્ને પક્ષોની પરસ્પર સમજદારીથી થાય તો વધુ સારુ. જરૂર પડ્યે કોર્ટ મધ્યસ્થી બનવા તૈયાર છે. સુપ્રીમ કોર્ટ આગલા શુક્રવાર આ મુદ્દે સુનવણી કરે એવી શક્યતા છે.

high court

રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટનું આ સૂચન ખૂબ મહત્વનું છે, સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આ મામલે બંન્ને પક્ષોને સામ-સામે બેસી પરસ્પર સમજુતીથી ઉકેલ શોધવાનું સૂચન કર્યું છે તથા જરૂર પડતાં મધ્યસ્થી બનવાની તૈયારી બતાવી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરે સૂચન કરતાં કહ્યું કે, આ ધર્મ અને આસ્થા સાથે જોડાયેલ મુદ્દો હોવાથી તેને કોર્ટની બહાર ઉકેલવાનો પ્રયાસ કરવો જોઇએ.

Read more : પૈગામ-એ-મોહબ્બત લઇ ફરી પાકિસ્તાન જઇશઃ મૌલવીRead more : પૈગામ-એ-મોહબ્બત લઇ ફરી પાકિસ્તાન જઇશઃ મૌલવી

ભાજપ ના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના મુદ્દે તાત્કાલિક સુનવણીની માંગ કરી હરતી. તેમણે કહ્યું હતું કે, જ્યાં રામ ભગવાનનો જન્મ થયો એ જગ્યાને બદલી શકાય એમ નથી, જ્યારે નમાજ પઢવા તો ગમે તે જગ્યાએ બેસી શકાય. સાથે જે તેમણે એમ પણ કહ્યું હતું કે, આ મામલો કોર્ટ બહાર ઉકેલવાના અનેક પ્રયાસો થઇ ચૂક્યાં છે, પરંતુ તેમાં સફળતા મળી નથી. આગલા શુક્રવારથી આ મુદ્દે સુનવણી શરૂ થશે. રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલ આ સૂચનનું ગૃહ મંત્રાલયે સ્વાગત કર્યું છે.

English summary
SC suggests outside court settlement on Ram Mandir dispute. If negotiations break down then SC will intervene and appoint a mediator for resolution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X