રાધેમાં માટે SHOએ છોડી પોતાની ખુરશી, તસવીરો વાયરલ
દિલ્હીમાં પોલીસ સ્ટેશનમાં રાધેમાંને ખાસ આશીર્વાદ આપવા બોલવવામાં આવ્યા. એસએચઓ તેમના માટે છોડી પોતાની ખુરશી. પછી આ તસવીરો વાયરલ થતા થયો વિવાદ
દેશની રાજધાની દિલ્હીમાં એક પોલીસ સ્ટેશનની એક તસવીર હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેને લોકોને ચોંકાવી દીધા છે. દિલ્હીના વિવેક વિહાર પોલીસ સ્ટેશન પર પોતાને ધર્મગુરુ કહેનારી રાધે માં જ્યારે દર્શન આપવા પહોંચી ત્યારે ત્યાંના SHO સંજય શર્માએ તેમના માનમાં તેમની ખુરશી છોડી દીધી. અને રાધેમાં SHOની ખુરશી પર બેસી ગયા અને એસએચઓ પોતે બાજુમાં બે હાથ જોડીને ઊભા રહી ગયા. જો કે આ પોલીસ સ્ટેશનમાં તેમના સીવાય પણ અનેક પોલીસકર્મીઓ હતા જેમણે પગે પડી પડીને રાધેમાંના આશીર્વાદ લીધા.

Recommended Video

નોંધનીય છે કે મીડિયા દ્વારા જ્યારે રાધે માં પર લગાવવામાં આવેલા દહેજ ઉત્પીડન, ધમકીઓના કેસ મામલે પોલીસ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે આ મામલે ચૂપ જ રહેવાનું પસંદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાધેમાંને હાલમાં જ સાધુ સંતોના એક સંસ્થાન દ્વારા ઢોંગી બાબાઓના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. વધુમાં હાલ જે રીતે એક પછી એક બાબાઓના નામ બહાર આવી રહ્યા છે ત્યારે તે વાત પણ એટલી જ સાચી છે કે હજી પણ અનેક લોકો ધર્મના નામે ચાલતા આ વેપારને અતૂટ શ્રદ્ધાથી માને છે.












Click it and Unblock the Notifications
