For Quick Alerts
For Daily Alerts
એએમયુમાંથી ઝીણાનો ફોટો હટાવ્યો તો દેશનો માહોલ બગડશેઃ પૂર્વ સપા સાંસદ
પૂર્વ સાંસદ ડૉ. શફીકુર્રહમાન બર્કે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં ઝીણાના ફોટા માટે કારણ વગર વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે.
પૂર્વ સાંસદ ડૉ. શફીકુર્રહમાન બર્કે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં ઝીણાના ફોટા માટે કારણ વગર વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. ઝીણાના ફોટાને મોદી સરકાર ફાયદા માટે ચૂંટણી મુદ્દો બનાવી રહી છે. તેમણે કહ્યું કે જો વિશ્વ વિદ્યાલયમાંથી ફોટાને હટાવવામાં આવશે તો દેશનો માહોલ બગડી શકે છે.
ડૉ. શફીકુર્રહમાને કહ્યુ કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કરાંચીમાં ઝીણા સાહેબની પ્રશંસા કરી હતી. વિશ્વ વિદ્યાલયમાં 70 વર્ષથી ફોટો લગાવેલો છે. અત્યાર સુધી આ ફોટો કેમ હટાવવામાં ન આવ્યો ? હવે ફોટો હટાવવાની વાત કરીને ફરીથી દેશનો માહોલ કેમ બગાડવામાં આવી રહ્યો છે?
Comments
English summary
shafiq ur rahman barq comment on jinnah photo sambhal
Story first published: Monday, May 7, 2018, 17:03 [IST]