આખરે પોલિસના હાથે લાગ્યું, શીનાની હત્યા પાછળનું સાચું કારણ!
મુંબઇ પોલિસના કેટલાક અધિકારીઓ પાછલા કેટલાક દિવસથી દિવસરાત એક કરીને શીના મર્ડર કેસનું કોકડું ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે મુંબઇ પોલિસની મહેનત હવે રંગ લાવી રહી છે. પોલિસના હાથમાં એક નવો ખુલાસો લાગ્યો છે. પોલિસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઇન્દ્રાણી મુખર્જીએ તેની પુત્રી શીનાની હત્યા ખૂબ જ કરણપ્રિય રીતે કરી હતી. આ હત્યાકાંડના સાક્ષી તેવા ઇન્દ્રાણીના ડ્રાઇવર શ્યામ રાયે પોલિસ પૂછપરછમાં જણાવ્યું કે શીનાનું ગળું દબાવતી વખતે ઇન્દ્રાણી વારંવાર તેને કહી રહી હતી કે હવે લે બાન્દ્રામાં 3 બીએચકેનો ફ્લેટ!
ત્યારે તેવું તો શું કારણ હતું કે પોતાની પુત્રીના મોતની અંતિમ ક્ષણોમાં ઇન્દ્રાણી બ્રાન્દ્રાની એક 3 બીએચકે ફ્લેટની વાતો તેની જોડે કરી રહી હતી. શું કામ શીનાને મુંબઇમાં એક ફ્લેટ જોયતો હતો. અને શું કારણો હતો તેની પાછળ? શું આ ફ્લેટ જ શીનાની હત્યા પાછળનું સાચું કારણ હતું કે વાર્તા કંઇક બીજી હતી. તે તમામ રાજ પરથી પોલિસે પડદો ઊંચકી લીધો છે. ત્યારે આ રહસ્યને જણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
શું ફ્લેટે શીનાનો જીવ લીધો
ઇન્દ્રાણીના ડ્રાઇવર અને આ હત્યાના એક માત્ર સાક્ષી તેવા ઇન્દ્રાણીના ડ્રાઇવરનું કહેવું હતું કે ઇન્દ્રાણી જ્યારે શીનાનું ગળું દબાવી રહી હતી ત્યારે તે વારંવાર બ્રાંદ્રાના એક ફ્લેટની વાત કરી રહી હતી.
પોલિસનો દાવો
પોલિસનો દાવો છે કે શીના તેની માતા ઇન્દ્રાણીને બ્લેકમેલ કરી રહી હતી. શીના ઇન્દ્રાણીના તેવા કોઇ રાઝને જાણતી હતી જેને ઇન્દ્રાણી દુનિયા સામે લાવવા નહતી ઇચ્છતી.
શીનાની માંગ
પોલિસનું માનવું છે કે શીનાને ઇન્દ્રાણીને બ્લેકમેલ કરી તે વાત છૂપાવવાની કિંમત પેટે બ્રાન્દ્રામાં એક આલીશાન 3 બીએચકે ફ્લેટની માંગણી કરી હતી.
ઇન્દ્રાણી માટે શીના રસ્તાનો કાંટો બની
શીના ઇન્દ્રાણીને વારંવાર બ્લેકમેલ કરી રહી હતી અને તેનાથી ઇન્દ્રાણી પરેશાન થઇ ચૂકી હતી તેણે શીનાને પોતાના રસ્તાથી હટાવવાનું નક્કી કરી લીધું હતું.
હત્યાનું કારણ
અને માટે જ ઇન્દ્રાણીના ડ્રાયવરના કહેવા મુજબ શીનાને મારતી વખતે પણ તેને ઇન્દ્રાણી તે જ કહી રહી હતી કે હવે તું માંગ બ્રાંદ્રામાં 3 બીએચકે ફ્લેટ!
મિખાઇલ બોરાનો પણ ખુલાસો
એટલું જ નહીં ઇન્દ્રાણીના પુત્ર મિખાઇલ બોરા પણ આ વાતનો ખુલાસો એક અંગ્રેજી ચેનલ આગળ કર્યો હતો કે ઇન્દ્રાણીએ શીનાને ચૂપ રહેવા પાસે પૈસા આપ્યા હતા. અને ઇન્દ્રાણીએ શીનાને ધમકી પણ આપી હતી કે જો તે ચૂપ નહીં રહે તો તેને અંજામ ભોગવવો પડશે!