હિંદુ પત્ની-મુસ્લિમ પતિ પાસપોર્ટ વિવાદમાં આરોપી અધિકારીનું સમ્માન કરશે શિવસેના
શિવસેના લખનઉના પાસપોર્ટ વિવાદમાં આરોપી ગણાવવામાં આવ રહેલા અધિકારી વિકાસ મિશ્રાના સમર્થનમાં આવી ગઈ છે.
શિવસેના લખનઉના પાસપોર્ટ વિવાદમાં આરોપી ગણાવવામાં આવ રહેલા અધિકારી વિકાસ મિશ્રાના સમર્થનમાં આવી ગઈ છે. હાલમાં જ લખનઉના એક પતિ-પત્નીએ પાસપોર્ટ અધિકારી પર આરોપ લગાવ્યો હતો કે અલગ-અલગ ધર્મના હોવાના કારણે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. મામલાના ચર્ચામાં આવ્યા બાદ અધિકારીની બદલી કરી દેવામાં આવી.
અનિલ સિંહના નેતૃત્વમાં શિવસેનાનુ એક ડેલીગેશન શનિવારે લખનઉ પહોંચ્યુ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક સાથે મુલાકાત કરી. શિવસેનાએ કહ્યુ કે સરકાર મુસ્લિમોને ખુશ કરવાની કોશિશ કરી રહી છે. આ દેશની સુરક્ષાનો મામલો છે. વિકાસ મિશ્રાની બદલી કરી દેવામાં આવી. એ કે માત્ર તેનું કામ કરી રહ્યો હતા. શિવસેનાએ કહ્યુ કે વિકાસને તેઓ સમ્માનીત કરશે.
ગુરુવારે તનવી શેઠ અને તેમના પતિ અનસ સિદ્દીકીએ વિકાસ મિશ્રા પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટ કરતા કહ્યુ હતુ કે મિશ્રા એ તેને પોતાની સરનેમ બદલવા માટે કહ્યુ. એટલુ જ નહિ તન્વીએ મિશ્રા પર જોર જોરથી બૂમો પાડવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યુ કે તેમણે અનસને પોતાનો ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવા માટે કહ્યુ હતુ.