Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બળવાખોર ધારાસભ્યો પર સંજય રાઉતનુ ટ્વિટ - પૈસા અને પદની બહુ ચિંતા કરવાથી બચો, કારણકે...

શનિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે એકનાથ શિંદે સહિત બળવાખોર ધારાસભ્યો પર પ્રહારો કર્યા હતા.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ સાથે શિવસેના પર રાજકીય સંકટ પણ ઘેરાઈ રહ્યુ છે. એકનાથ શિંદેના બળવાખોર વલણને કારણે શિવસેના સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. શિંદે સહિત અનેક ધારાસભ્યો ભાજપ શાસિત આસામની એક ફાઈવ સ્ટાર હોટલમાં અડ્ડો જમાવી બેઠા છે. આ દરમિયાન, શનિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે એકનાથ શિંદે સહિત બળવાખોર ધારાસભ્યો પર પ્રહારો કર્યા હતા.

Sanjay Raut

તેમના ટ્વિટમાં સંજય રાઉતે લેખક રુડયાર્ડ કિપલિંગના અવતરણની એક તસવીર શેર કરી. જેમાં લખ્યુ છે - પૈસા, પદ અથવા પ્રતિષ્ઠા માટે વધુ પડતી ચિંતાથી સાવચેત રહો. કોઈ દિવસ તમે એવા વ્યક્તિને મળશો જે આમાંની કોઈપણ બાબતોની પરવા કરશે નહિ. ત્યારે તમને ખબર પડશે કે તમે કેટલા હીન છો.

ગુવાહાટીની હોટલમાં અડ્ડો જમાવ્યો છે બળવાખોરોએ

એકનાથ શિંદે સહિત 38 ધારાસભ્યો ગુવાહાટીની એક હોટલમાં અડ્ડો જમાવીને બેઠા છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે બપોરે 1 વાગ્યે કાર્યકારિણી બેઠકની અધ્યક્ષતા કરશે. સત્તાધારી મહા વિકાસ અઘાડી, જેમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ સામેલ છે, જે તલવારની ધાર પર ચાલી રહ્યા છે.

પીઠમાં છૂરો ભોંક્યો

શુક્રવારે એક ભાવનાત્મક સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ પક્ષપલટાઓને "પીઠમાં છૂરો મારનારા" ગણાવ્યા. મોડી રાત્રે પોતાના બીજા સંબોધનમાં તેમણે ભાજપ પર શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભાજપ હિન્દુત્વના માલિક બનવા માંગે છે. અમે બાળાસાહેબના નેતૃત્વમાં હિન્દુત્વનો પાયો નાખ્યો અને તેઓ તેનો લાભ લઈ રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X