બાલ ઠાકરેએ કર્યો ગડકરીનો બચાવ
બાલ ઠાકરેએ લખ્યું છે કે કેજરીવાલે ગડકરી ઉપર જે પુરાવા રજૂ કર્યા છે તેમાં દમ નથી. બાલ ઠાકરેએ કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં અણ્ણા પણ આવી યુક્તિઓ અજમાવતા હતા. હવે કેજરીવાલે સાબિત કરી દિધું છે તે અણ્ણાના જ ચેલા છે.
બાલ ઠાકરે લખ્યું છે કે આ આરોપો દ્રારા કેજરીવાલ અને અંજલિ દમાનિયા પબ્લિસિટી કમાવવા માંગે છે. આ યુક્તિઓથી થોડીવાર માટે ખળભળાટ મચે છે પરંતુ વિશ્વનિયતા ખતમ થઇ જાય છે. જો કેજરીવાલ-દમાનિયાએ આવું ચાલું રાખશે તો તેમને અણ્ણા બાબાનું સ્થાન મળી જશે.
બાલ ઠાકરેએ કહ્યું હતું કે ગડકરીના પ્રોજેક્ટમાં કોઇ ગડબડ નથી. તેમને કોઇ હેરાફરી કરી નથી. કેજરીવાલ અને તેમની ટીમે આવા આરોપો લગાવવાથી બચવું જોઇએ. નહીંતર તો થોડાં દિવસો પછી તેમને પણ દિલ્હીની ગલીઓમાં ગાંડાની માફક રખડવું પડશે.
ગડકરીને તેમની યોગ્યતા અને સારા નેતૃત્વના કારણે તેમને બીજીવાર અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. તેમની પ્રગતિથી ઇર્ષા કરનારા લોકો આવા આરોપો લગાવી શકે.