યુવાનોમાં કુશળતા અને નોકરીનું પ્રમાણ વધ્યું
યુવાનોમાં કુશળતા અને નોકરીનું પ્રમાણ વધ્યું
બેંગ્લોરઃ વિપક્ષ દ્વારા રોજગારનો મુદ્દો લઈને વારંવાર સવાલો ઉઠાવવામાં આવે છે કે આખરે મોદી સરકારે યુવાનોની રોજગારી માટે શું કામ કર્યું છે? મોદી સરકાર યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે અને તેમણે વાયદા પૂરા ન કર્યા હોવાના વારંવાર આરોપો લગાવવામાં આવે છે. ત્યારે મોદી સરકારે ખરેખર રોજગારી વધારવા અને યુવાનોને કુશળ બનાવવા માટે શું કામ કર્યું તે અંગે જાણવું બહુ જરૂરી છે. અહીં જાણો મોદી સરકારે રોજગારી માટે કેટલી પહેલ કરી અને તેનું પરિણામ શું આવ્યું.
તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે નેશનલ કાઉન્સિલ ફોર વેકેશનલ ટ્રેનિંગ (NCVT) અને ધી નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ એજન્સી (NSDA))નું નેશનલ કાઉન્સિલ ફોર વેકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ NCVET)માં મર્જરને મંજૂરી આપી દીધી છે. એન્ટરપ્રેનરશિપ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા આ એક મોટી પહેલ છે. જેનાથી લોકોમાં રોજગારીનું પ્રમાણ વધશે અને બેરોજગારીને નાથવામાં મદદ મળી રહેશે.
તાજેતરના વર્ષોમાં ભારત સરકાર દ્વારા લેવાયેલ આવાં મોટાં પગલાં પર એક નજર કરો. જો કે સ્કીલ ઈન્ડિયા મિશનનું વિસ્તરણ દેશના મધ્યમ વર્ગના નાગરિકોને સીધો ફાયદો આપે છે. દેશનો આ ભાગ મોટાભાગનું વર્કફોર્સ ઉપલબ્ધ કરાવે છે. અહિં તસવીરમાં તમે ભવિષ્યના પ્રોજેક્ટનો તાગ લગાવી શકો છો.
આ પણ વાંચો- પ્રવીણ તોગડિયાએ રાજનૈતિક પાર્ટી બનાવવાનું એલાન કર્યું