રેલવે મંત્રાલયે અફવાઓને ખોટી સાબિત કરી: સોનિયા ગાંધી
સોનિયાએ રાયબરેલીના લાલગંજમાં રેલવે કોચ ફેક્ટરીમાં સૌથી પહેલા નવનિર્મિત 20 ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી અને બાદમાં સભાને સંબોધીત કરી હતી. સોનિયાએ જણાવ્યું કે 'અત્રે હું ઉલ્લેખ કરવા માગીશ કે 2009માં જ્યારે આ ફેક્ટરીનું શિલાન્યાસ કરાયું હતું ત્યારે રાજ્યની તત્કાલિન મુખ્યમંત્રી માયાવતી સરકારે તેને ચૂંટણી મુદ્દો બનાવી દીધો હતો. જોકે રેલવે મંત્રાલયે આ ઘણા ઓછા સમયમાં આ જમીન વિવાદ સુલજાવી દીધો અને આજે તેનું ઉદઘાટન કરાયું છે તેના માટે રેલવે મંત્રાલય ધન્યવાદને પાત્ર છે.'
સોનિયાએ જણાવ્યું કે આ ફેક્ટરીના નિર્માણ પર કૂલ 2700 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે જેમાં અત્યાર સુધી 800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
તેમણે જણાવ્યું કે 'મને ખુશી છે કે આ ફેક્ટરીના નિર્માણ માટે જે ખેડૂતોની જમીન લેવામાં આવી હતી તેમને ફેક્ટરીમાં ડિ ગ્રેડની નોકરી પણ આપવામાં આવી રહી છે. ઉપરાંત ફેક્ટરીની આસપાસ તેમને રહેવા માટે મકાનો અને દૂકાનો પણ તૈયાર કરવામાં આવી રહી છે.' સોનિયાએ આ પ્રસંગે 14 ખેડૂતોને નોકરી માટે એપોઇન્ટમેન્ટ લેટર પણ એનાયત કર્યા.