For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશી વહૂએ દેશને બરબાદ કરી દિધો છે: બાબા રામદેવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

baba-ramdev
રાયપુર, 25 ફેબ્રુઆરી: ફરી એકવાર યોગ ગુરૂ બાબા રામદેવે કોંગ્રેસ પર પોતાનું નિશાન તાક્યું છે. તે છત્તીસગઢના કોંડાગામમાં જનતાને મળવા ગયા હતા જ્યાં મીડિયા સાથે વાતચીત કરતાં તેમને કહ્યું હતું કે દેશના લોકો પોતાનું ભલું ઇચ્છે છે તો વિદેશી વસ્તુઓ અને 'વિદેશી વહૂ'થી દૂર રહે અને સાવધાન રહે કારણ કે બંને આ દેશને નરકમાં ધકેલી દેશે.

બાબા રામદેવનો ઇશારો યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી તરફ હતો કારણ કે તે વિદેશી છે. બાબા રામદેવે કહ્યું હતું કે સોનિયા ગાંધી કદાચ દેશ પ્રથમ વહૂ હશે જે પોતાની સાસરીનો સામાન પોતાના પિયર એટલે ઇટલી મોકલી રહી છે.

બાબા રામદેવની તીખી ટિપ્પણી અહીં પૂર્ણ થઇ ન હતી તેમને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂને પણ બાકાત રાખ્યા ન હતા. બાબા રામદેવે કહ્યું હતું કે જ્યારે દેશ આઝાદ થયો તો નેહરૂ, લેડી માઉન્ટબેંટ સાથે પ્રેમના ગુલ ખીલાવી રહ્યાં હતા. જો જવાહરલાલ નહેરૂની જગ્યાએ સરદાર વલ્લભભાઇ પટેલ દેશના વડાપ્રધાન હોત તો આજે આવી દુર્દશાનો શિકાર ન થાત.

આટલું જ નહી ભષ્ટ્રાચાર માટે કોંગ્રેસને જવાબદાર ગણાવનાર બાબા રામદેવે કહ્યું હતું કે કોંગ્રેસની નસ-નસમાં ફક્ત ભ્રષ્ટાચાર ભરેલો છે. તે શું દેશને આ બિમારીમાંથી મુક્ત કરશે.

અફઝલ ગુરૂ અને કસાબની ફાંસીને પણ બાબા રામદેવે કહ્યું હતું કે સરકાર આતંકવાદીઓની ફાંસીથી પોતાના વોટ મેળવવા માંગે છે. જો ખરેખર તે પ્રજાની હિતેચ્છું છે તો તેને પહેલાં જ બંને ફાંસીએ કેમ ન લટકાવ્યા?

English summary
UPA Chief Sonia Gandhi is Corrupt Bahu of India said Yoag Guru Baba Ramdev in Raipur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X