For Daily Alerts
મનમોહન સાથે મુલાકાત કરશે સોનિયા
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી આજે કેન્દ્રીય મંત્રિમંડળમાં સંભવિત ફેરફાર અંગે ચર્ચા કરવા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સાથે મુલાકાત કરી શકે છે. એવું મનાઈ રહ્યું છે કે આ અઠવાડિયે મંત્રિમંડળમાં ફેરફાર થઈ શકે છે.
માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી સી. પી. જોશીને પહેલાં જ રેલ મંત્રાલયનો વધારાનો ચાર્ચ સોંપવામાં આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના છ મંત્રીઓના રાજીનામા બાદ કહેવાય છે કે ખાલી પડેલ વિભાગોમાંથી કેટલાંક હોદ્દા કોંગ્રેસના નેતાઓને આપવામાં આવી શકે છે.
એમ પણ મનાઈ રહ્યું છે કે આ મંત્રિમંડળ ફેરફારમાં યોગ્યતાને વધુ મહત્વ આપવામાં આવશે કે જેથી અર્થતંત્રની ઝડપ વધારી શકાય.
Comments
English summary
Congress president Sonia Gandhi may meet today prime minister Dr. Manmohan Singh to discuss for reshuffle ministry.
Story first published: Monday, September 24, 2012, 12:08 [IST]