અમરસિંહએ કહ્યું - દારૂ નથી પીતી શ્રીદેવી, રિપોર્ટ ખોટી છે
દુબઇ પોલીસ ઘ્વારા કરાવવામાં આવેલી ફોરેન્સિક તપાસ પર સપા નેતા અમરસિંહએ વિરોધ કર્યો છે.
શ્રીદેવી ની મૃત્યુ કેસ મામલે દુબઇ પોલીસ ઘ્વારા કરાવવામાં આવેલી ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે શ્રીદેવી ના શરીરમાં આલ્કોહોલ હતો અને જેના કારણે તેઓ બાથટબમાં લપસી ગયા. દુબઇ પોલીસ ઘ્વારા કરાવવામાં આવેલી ફોરેન્સિક તપાસ પર સપા નેતા અમરસિંહએ વિરોધ કર્યો છે. અમરસિંહએ એક ચેનલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે શ્રીદેવી આલ્કોહોલ નથી પીતી. પરંતુ કોઈક વખત વાઈન પી લેતી હતી.
દુબઇ પોલીસે રિપોર્ટમાં કર્યો આ ખુલાસો
યુએઈ ગલ્ફ ન્યુઝ અનુસાર શ્રીદેવીની મૌત ડૂબવાથી થયી છે. રિપોર્ટમાં શ્રીદેવીના શરીરમાં આલ્કોહોલની માત્રા પણ મળી આવી છે. રિપોર્ટ મુજબ દારૂના પ્રભાવને કારણે શ્રીદેવી બાથરૂમમાં પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને બાથટબમાં પડી ગયી. બાથટબમાં ડૂબવાથી તેની મૌત થઇ ગયી.
શ્રીદેવી એ અમરસિંહ સાથે કર્યો હતો રોડ શૉ
આપણે જણાવી દઈએ કે અમરસિંહ શ્રીદેવી ના જુના મિત્ર છે. અમરસિંહએ વર્ષ 2014 દરમિયાન લોકસભા સીટ માટે ઈલેક્શન લડ્યું હતું. તે સમયે શ્રીદેવી તેમના પ્રચાર માટે આવી હતી. શ્રીદેવી એ અમરસિંહના સમર્થનમાં રોડ શૉ કર્યો હતો. રોડ શૉ દરમિયાન શ્રીદેવી સાથે તેમના પતિ બોની કપૂર પણ હાજર હતા.
બોની કપૂર સાથે સાઢા ત્રણ કલાક પુછપરછ
દુબઇ પોલીસ ઘ્વારા શ્રીદેવી ની અચાનક મૌત માટે તેમના પતિ બોની કપૂરનું નિવેદન લેવામાં આવ્યું છે. ઘણા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જયારે શ્રીદેવી ની મૌત થયી ત્યારે બોની કપૂર હોટેલ રૂમમાં હાજર હતા. બોની કપૂરે દુબઇ પોલીસ સામે પણ તેની જાણકારી આપી. આ આખી પ્રક્રિયા લગભગ સાઢા ત્રણ કલાક સુધી ચાલી.