For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ પર જનસભા દરમિયાન ફેંકાયો પત્થર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર શનિવારે એક જનસભા દરમિયાન એક યુવકે પત્થર ફેંક્યો. પાર્ટીના એક સભ્યએ આ જાણકારી આપી. આપના એક સૂત્રએ આઇએએનએસને જણાવ્યું કે ઘટના શનવારે સાંજે 6.45 વાગ્યે, જ્યારે અરવિંદ દક્ષિણી દિલ્હીના દેવલી વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.

જોકે અરવિંદ કેજરીવાલને આ પત્થર વાગ્યો નહીં, કારણ કે મંચ સામાન્ય લોકોના બેસવાના સ્થળેથી ખૂબ જ દૂર હતો. પોલીસે તુરંત યુવકને પકડી પાડ્યો અને નેબસરાય પોલીસ સ્ટેશન લઇ ગઇ.

arvind
ઘટનાના તુરંત બાદ અરવિંદે ટ્વિટ કર્યું, 'એક યુવકે આજે શનિવારે દેવલીમાં જનસભા દરમિયાન મારા પર પત્થર ફેંક્યો. ભાજપ શું એટલી ડરી ગઇ છે કે હિંસા પર ઉતરી આવી છે? હું પત્થર ફેંકનારા યુવકની સારાઇ માટે પ્રાર્થના કરુ છું.'

અરવિંદે ટ્વિટર પર આગળ લખ્યું કે 'અમારી ઉપર પત્થર અને જૂતા ફેંકનારા લોકો પ્રત્યે અમારા મનમાં કોઇ દુર્ભાવના નથી, અમે તે તમામને શુભેચ્છાઓ આપીએ છીએ.'

English summary
A youth in his mid-20s Saturday hurled a stone at AAP chief Arvind Kejriwal at a public gathering here, a party member said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X