For Quick Alerts
For Daily Alerts
કેજરીવાલ પર જનસભા દરમિયાન ફેંકાયો પત્થર
નવી દિલ્હી, 28 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર શનિવારે એક જનસભા દરમિયાન એક યુવકે પત્થર ફેંક્યો. પાર્ટીના એક સભ્યએ આ જાણકારી આપી. આપના એક સૂત્રએ આઇએએનએસને જણાવ્યું કે ઘટના શનવારે સાંજે 6.45 વાગ્યે, જ્યારે અરવિંદ દક્ષિણી દિલ્હીના દેવલી વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.
જોકે અરવિંદ કેજરીવાલને આ પત્થર વાગ્યો નહીં, કારણ કે મંચ સામાન્ય લોકોના બેસવાના સ્થળેથી ખૂબ જ દૂર હતો. પોલીસે તુરંત યુવકને પકડી પાડ્યો અને નેબસરાય પોલીસ સ્ટેશન લઇ ગઇ.
One
person
threw
a
stone
at
me
in
deoli
jansabha
today.
BJP
so
scared?
Resorting
to
violence?
I
wish
well
for
the
boy
who
did
it.
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
December
27,
2014
અરવિંદે ટ્વિટર પર આગળ લખ્યું કે 'અમારી ઉપર પત્થર અને જૂતા ફેંકનારા લોકો પ્રત્યે અમારા મનમાં કોઇ દુર્ભાવના નથી, અમે તે તમામને શુભેચ્છાઓ આપીએ છીએ.'
Comments
arvind kejriwal egg delhi aap assembly elections congress bjp અરવિંદ કેજરીવાલ દિલ્હી આપ વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ ભાજપ
English summary
A youth in his mid-20s Saturday hurled a stone at AAP chief Arvind Kejriwal at a public gathering here, a party member said.
Story first published: Sunday, December 28, 2014, 13:49 [IST]