For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલ જન્મજાત નક્સલી છે, તેઓ 420 છે

ભારતીય જનતા પાર્ટીના સંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નક્સલી ગણાવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના સંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નક્સલી ગણાવ્યા છે. તેમને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ નક્સલી છે આવી પરિસ્થિતિમાં આખરે કેમ મમતા બેનર્જી, એચડી કુમારસ્વામી, ચંદ્રબાબુ નાયડુ અને પિનારાઈ વિજયને તેમની સમર્થન કરવું જોઈએ. સ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેજરીવાલ પાસે કઈ જ નથી. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન જે મેં ચાલુ કર્યું હતું ત્યારપછી તેમને તેમાં ભાગ લીધો. પરંતુ હવે તેમની પાસે કઈ જ નથી.

subramanian swamy

સુબ્રમણ્યમ સ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને 2જી સ્પેક્ટ્રમ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું, ત્યારપછી તેમને ભ્રષ્ટાચાર સામે લડવાનો દાવો કર્યો. આ આંદોલનમાં તેઓ એવા વ્યક્તિ છે જેઓ અન્ના હજારેના ખભા પર બેસીને રાજનીતિમાં આવ્યા. જેમને અસલી દુનિયા વિશે કોઈ પણ જાણકારી ના હતી. અન્ના હજારેના ખભા પર બેસીને તેઓ આગળ આવ્યા. કેજરીવાલને નક્સલી ગણાવતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે તેઓ જન્મજાત નક્સલી છે, તેઓ હંમેશા એક સંતાયેલા નક્સલી હતા, તેઓ 420 છે. આવી પરિસ્થિતિમાં કેમ બીજા મુખ્યમંત્રીઓ તેમનું સમર્થન કરી રહ્યા છે.

English summary
Subramanian Swamy says, 'Delhi CM is a born Naxalite he is 420
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X