સુનંદા પુષ્કરની મોત મામલે શશી થરુર આરોપી
સુનંદા પુષ્કર હત્યા મામલે 4 વર્ષ બાદ દિલ્હી પોલિસે પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યો છે. દિલ્હી પોલિસે આજે 3000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.
સુનંદા પુષ્કર હત્યા મામલે 4 વર્ષ બાદ દિલ્હી પોલિસે પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યો છે. દિલ્હી પોલિસે આજે 3000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં પોલિસે કોંગ્રેસ નેતા અને સુનંદા પુષ્કરના પતિ શશી થરુરને આરોપી બનાવ્યા છે. દિલ્હી પોલિસે આઈપીસીની ધારા 306 (આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા) અને 498એ (વૈવાહિક જીવનમાં હેરાનગતિ) હેઠળ આરોપ-પત્ર દાખલ કર્યો છે.

શશી થરુર પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો આરોપ
દિલ્હી પોલિસની ચાર્જશીટની કોલમ 11 માં પોલિસે સુનંદા પુષ્કરના પતિ શશી થરુરને શકમંદ તરીકે વર્ણવ્યો છે. પોલિસે જોયુ કે થરુરની સામે તેમને પર્યાપ્ત પુરાવા મળ્યા નથી, પરંતુ તે શંકાના ઘેરામાં છે. આ મામલે આગામી સુનાવણી 24 મે ના રોજ થશે. તેમને જણાવી દઈએ કે ઘટના સમયે સુનંદા પુષ્કર અને શશી થરુરના લગ્નને 7 વર્ષ થયા નહોતા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) ની દેખરેખમાં આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી.

2014 માં હોટલમાં મળી હતી સુનંદા પુષ્કરની લાશ
17 જાન્યુઆરી, 2014 માં સુનંદા પુષ્કર દિલ્હીની એક હોટલના રૂમમાં મૃત મળી આવી હતી. તેમના મોત બાદ શશી થરુર અને પાકિસ્તાની પત્રકાર મેહર તરાર વચ્ચે નિકટતાના સમાચાર આવ્યા હતા અને વાતો થવા લાગી કે થરુરના અફેરના કારણે સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી. પ્રારંભિક પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ ઝેર બતાવવામાં આવ્યુ હતુ. પોસ્ટમોર્ટમ મુજબ તેમના શરીર પર ઈન્જેક્શન અને ઈજાના નિશાન પણ હતા. તેમના શરીરમાં અલ્જોલમના પુરાવા મળ્યા હતા અને હોટલના જે રૂમમાં તેમની લાશ મળી હતી ત્યાં ઉંઘની ગોળીઓ પણ મળી આવી હતી. જો કે હજુ તે સ્પષ્ટ થયુ નહોતુ કે સુનંદા પુષ્કરનું મોત શેના કારણે થયુ છે.

સુનંદાનું મોત અપ્રાકૃતિક મોત
આત્મહત્યા બાદ સુનંદા પુષ્કરની વિસરા રિપોર્ટ મુજબ મોત પહેલા તે પૂરેપૂરા સ્વસ્થ હતા. રિપોર્ટ મુજબ સુનંદાનું મોત ઝેરના કારણે થયુ અને તે અપ્રાકૃતિક હતુ. રિપોર્ટમાં ઝેર ન જાણી શકવા પર સુનંદાના પુત્ર શિવ મેનને દિલ્હી પોલિસ કમિશ્નરને પત્ર લખીને બીજા ડૉક્ટરોની સલાહ લેવાની અપીલ કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
