બાબરી-રામજન્મભૂમિ વિવાદની સુનવણી જલ્દી જ થશે : સુપ્રીમ કાર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાબરી મસ્જિદ અને રામ જન્મભુમિના મામલાની સુનવણી માટે જલ્દી જ લિસ્ટ બનાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ જલ્દી જ રામજન્મ ભૂમિ અને બાબરી વિવાદની સુનવણી હાથ ધરશે. સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ મામલાની સુનવણી જલ્દી જ કરવા માટે તેને લિસ્ટ કરવામાં આવશે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ બાબરી-રામજન્મભૂમિ વિવાદની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. તેની સાથે અપીલ પણ કરી હતી કે, આ વિવાદની સુનવણી જલ્દી કરવામાં આવે. સ્વામીએ આ અરજીની સાથે મુખ્ય મુદ્દાને પણ કોર્ટની સામે રજૂ કર્યો છે અને તેના પર પણ સુનવણી થાય તેવી માંગ કરી છે.

ટૂંક સમયમાં થશે સુનવણી
સુપ્રીમ કોર્ટ બેંચ, જેમાં સીજેઆઈ જેઅસ ખેહર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ સિંહનો સમાવેશ થાય છે, તેમણે આ અરજીને સ્વીકારી તેના પર સુનાવણી કરતાં કહ્યું કે, તેઓ આ મામલાને જલ્દી સુનવણી કરવા માટે લિસ્ટ કરશે.
મામલો સાત વર્ષથી અટક્યો
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિની વચ્ચે 2.7 એકર જમીનની માલિકી સાથે જોડાયેલો છે. બંન્ને સમુદાયોમાં આ વિવાદિત સ્થળની માલિકીને લઈને લડાઈ ચાલી રહી છે. આ મામલો છેલ્લા ઘણા વર્ષોથી કોર્ટમાં છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલો 2010થી કોર્ટમાં પડ્યો છે અલ્હાબાદ કોર્ટના નિર્ણય પછી આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાર બાદ તેના પર કોઈ સુનવણી થઈ નથી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
