અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટની રાહત, આત્મ હત્યા માટે ઉકસાવવાની કેસમાં જામીન મળ્યા
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે રિપબ્લિક ટીકીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી તરફથી દાખલ કરવામાં ાવેલી જામીન અરજી પર સુનાવણી બાદ કોર્ટે અર્નબ ગોસ્વામીને જમાનત આપી દીધી છે. આત્મહત્યા માટે ઉકસાવવાના આરોપસર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હતી, આ મામલે અર્નબ ગોસ્વામી સહિત બે આરોપીઓને જામીન મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે જેલ પ્રશાસન અને કમિશ્નરને આદેશ આપવાનું પાલન થયાનું સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા.
જસ્ટિસ ડીઆઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈંદિરા બેનરજીની બેંચે મામલાની સુનાવણી કરી. જણાવી દઈએ કે સુનાવણી દરમ્યાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જો કોર્ટ આ કેસમાં દખલ નહિ આપે તો, તેઓ બરબાદીના રસ્તા પર આગળ વધશે. કોર્ટે કહ્યું કે, તમે વિચારધારામાં ભિન્ન હોય શકો છો પરંતુ સંવૈધાનિક અદાલતોને આ પ્રકારની સ્વતંત્રતાની રક્ષા કરવી પડશે નહિતર ત્યારે આપણે વિનાશના રાસ્તે ચાલી રહ્યા છીએ.
જેલમાં પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા અર્નબ, માટે તજોલા જેલમાં શિફ્ટ કરાયા
અર્નબ ગોસ્વામીનો કેસ રાખી રહેલ હરીશ સાલ્વેએ જામીનના પક્ષમાં દલીલ રાખતા કહ્યું કે, શું અર્નબ ગોસ્વામી આતંકવાદી છે? શું તેમના પર હત્યાનો કોઈ આરોપ છે? તેમને જામીન કેમ ના આપી શકાય?