ચૂંટણી કમિશન બાદ માયાવતીને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝટકો, ચાલુ રહેશે પ્રતિબંધ
ચૂંટણી કમિશનના પ્રતિબંધનો સામનો કરી રહોલ બસપા સુપ્રીમો માયાવતીને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે.
ચૂંટણી કમિશનના પ્રતિબંધનો સામનો કરી રહોલ બસપા સુપ્રીમો માયાવતીને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશન દ્વારા લગાવાયેલા પ્રતિબંધ સામે માયાવતી દ્વારા દાખલ કરાયેલ અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સોમવારે ચૂંટણી કમિશન દ્વારા બસપા સુપ્રીમો માયાવતીના પ્રચાર કરવા પર 48 કલાકની રોક લગાવી દેવામાં આવી હતી જેની સામે માયાવતી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી માયાવતીને કોઈ રાહત નથી મળી, તેમના પર કમિશન દ્વારા લગાવાયેલ પ્રતિબંધ ચાલુ રહેશે.

માયાવતી પર 48 કલાકનો લગાવાયો પ્રતિબંધ
લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ધર્મ વિશે નિવેદનબાજી કરવા માંલે ચૂંટણી કમિશને યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રીમો માયાવતી સામે મોટી કાર્યવાહી કરી હતી. ચૂંટણી કમિશને યોગી આદિત્યનાથ અને માયાવતીના પ્રચાર પર ક્રમશઃ 72 કલાક અને 48 કલાક સુધી રોક લગાવી દીધી હતી. આ રેલીઓ પર પ્રતિબંધ મંગળવારે સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગયો છે.

પ્રતિબંધને માયાવતીએ ગણાવ્યુ હતુ ષડયંત્ર અને લોકતંત્રની હત્યા
બસપા પ્રમુખ માયાવતીએ ચૂંટણી કમિશન તરફથી તેમના પર લગાવેલા 48 કલાકના પ્રતિબંધને દબાણમાં લેવાયેલ નિર્ણય ગણાવ્યો છે. સોમવારે માયાવતીએ ચૂંટણી કમિશન તરફથી તેમના ચૂંટણી પ્રચાર પર લગાવાયેલ રોકને એક ષડયંત્ર અને લોકતંત્રની હત્યા ગણાવી દીધી. માયાવતીએ કહ્યુ કે ચૂંટણી કમિશને એક તરફી નિર્ણય આપ્યો છે. તેમણે કહ્યુ, ‘મને બોલવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકરાથી વંચિત કરી દેવામાં આવી છે. આ દિવસને ચૂંટણી કમિશનના ઈતિહાસમાં એક કાળા દિવસ રૂપે મનાવવામાં આવશે.'

યોગી આદિત્યનાથી પર પણ લાગ્યો 72 કલાકનો પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે એક રેલીમાં સીએમ યોગી આદિત્યનાથે અલી-બજરંગબલી શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારે માયાવતીએ યુપીના સહારનપુર જિલ્લાના દેવબંધમાં થયેલા સપા-બસપા અને રાલોદ મહાગઠબંધન રેલીમાં મુસ્લિમ સમાજને માત્ર મહાગઠબંધનને મત આપવાની અપીલ કરી હતી. આ બંને નેતાઓના નિવેદન બાદ મામલો ચૂંટણી કમિશન પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આ બંને સામે કમિશને પગલુ લીધુ હતુ.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
