સુપ્રિમ કોર્ટે કઠુઆ ગેંગરેપ કેસને પઠાણકોટ કર્યો ટ્રાન્સફર, સીબીઆઈ તપાસની માંગ ફગાવી
કઠુઆ ગેંગરેપ પીડિતાના પરિવારજનોની યાચિકા બાદ સુપ્રિમ કોર્ટે આજે આ કેસને કઠુઆથી પઠાણકોટ ટ્રાન્સફર કરી દીધો છે.
કઠુઆ ગેંગરેપ પીડિતાના પરિવારજનોની યાચિકા બાદ સુપ્રિમ કોર્ટે આજે આ કેસને કઠુઆથી પઠાણકોટ ટ્રાન્સફર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે મૃતકના પરિવારે આ કેસને કઠુઆથી ચંદીગઢમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. પરિવારજનોએ જીવનું જોખમ હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આ કેસને કઠુઆથી ટ્રાન્સફ રકરવાની સુપ્રિમ કોર્ટમાં અરજી નોંધવામાં આવી હતી.
કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા સોમવારે આદેશ આપ્યો કે આ કેસને સુનાવણી માટે પઠાણકોટ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. આ કેસની રોજેરોજ સુનાવણી કરવામાં આવશે. બધી કામગીરી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેસની સુનાવણીની આગામી તારીખ 9 જૂલાઈ નક્કી કરવામાં આવી છે. વળી, સુપ્રિમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર સરકારને પઠાણકોર્ટમાં સરકારી વકીલ નિયુક્ત કરવાની અનુમતિ આપી દીધી છે. આ ઉપરાંત, સુપ્રિમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર સરકારને પીડિતાના પરિવાર, તેમના વકીલ અને સાક્ષીઓને સુરક્ષા પૂરી પાડવાનું પણ કહ્યુ. આટલુ જ નહિ, સુપ્રિમ કોર્ટે આ કેસની ફરીથી સીબીઆઈ તપાસ કરાવવાની માંગની અરજી ફગાવી દીધી છે.
વળી, આજે સુપ્રિમ કોર્ટમાં જમ્મૂ કાશ્મીર સરકાર તરફથી રાજ્યમાં જ આ કેસની ઈમાનદારીથી ટ્રાયલ કરાવવાની વાત કહેવામાં આવી છે. આ કેસને જમ્મૂ-કાશ્મીરમાંથી ટ્રાન્સફર કરવાનો રાજ્ય સરકારે વિરોધ કર્યો છે. જમ્મૂ કાશ્મીર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યુ કે તે રાજ્યમાં નિષ્પક્ષ સુનાવણી માટે તૈયાર છે પરંતુ તે આ કેસને બીજા રાજ્યમાં મોકલવાનો વિરોધ કરે છે. પીડિતાના પિતાનો પક્ષ રાખી રહેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે સુપ્રિમ કોર્ટને કહ્યું હતુ કે રાજ્યનું વાતાવરણ એવુ નથી કે આ કેસની વ્યવસ્થિત ટ્રાયલ અહીં થઈ શકે. ત્યાંનું વાતાવરણ ધ્રુવીકરણ કરે તેવુ છે. આના પર કોર્ટે સરકારને નોટિસ જારી કરીને જવાબ આપવાનું કહ્યુ હતું.