સુષ્મા સ્વરાજની ચેતવણી બાદ એમેઝોને ભૂલ સુધારી
રાષ્ટ્રધ્વજ અપમાન મામલે એમેઝોનને સુષ્મા સ્વરાજની સ્પષ્ટ ચેતવણી, માફી માંગો નહીં તો ભારતમાં પગ નહીં મૂકવા દઇએ.
ઓનલાઇન ઇ કોમર્સ કંપની એમેઝોનની સાઇટ પર ભારતના રાષ્ટ્રધ્વજની છબી પગલૂછણિયા તરીકે વેચવા મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે વિરોધ વ્યક્ત કરી આ અંગે કેનેડા સ્થિત ઉચ્ચઆયોગને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સુષ્મા સ્વરાજે ભારતીય ઉચ્ચાયુક્તને કહ્યું છે કે આ અસ્વીકાર્ય છે અને આ અંગે અમેઝોન સમક્ષ ઉપરી સ્તરના પગલા ઉઠાવવા જોઇએ.
સુષ્મા સ્વરાજે સાફ શબ્દોમાં કહ્યું છે કે એમેઝોન આ અંગે બિનશરતી માફી માંગવી જોઇએ. અને રાષ્ટ્રીય ધ્વજના આવા તમામ ઉત્પાદનોને પાછા લેવા જોઇએ જે અમારા રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરતા હોય. વધુમાં તેમણે કહ્યું કે જો એમેઝોન દ્વારા આવું ના કરવામાં આવ્યું તો તે કોઇ પણ એમેઝોનના અધિકારીને વીઝા નહીં મોકલે.
Amazon must tender unconditional apology. They must withdraw all products insulting our national flag immediately. /1
— Sushma Swaraj (@SushmaSwaraj) January 11, 2017
નોંધનીય છે કે અતુલ ભોબે દ્વારા ઓનલાઇન સાઇટ ટ્વીટર પર આ બાબલે સુષ્મા સ્વરાજને ફરિયાદ કરવામાં આવી હતી. અને તે પછી સોશ્યલ મીડિયા પર અનેક ટ્વિટર દ્વારા આ અંગે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
If this is not done forthwith, we will not grant Indian Visa to any Amazon official. We will also rescind the Visas issued earlier.
— Sushma Swaraj (@SushmaSwaraj) January 11, 2017
એમેઝોને ભૂલ સુધારી
જો કે સુષ્મા સ્વરાજની ચેતવણી પછી ઇ કોમર્સ વેબસાઇટ એમેઝોને તે તિરંગા વાળી પગલૂછણિયાની તસવીરો તેની વેબસાઇટ પરથી નીકાળી દીધી છે. કેનેડાની કંપની એમેઝોનના પ્રવક્તાએ વોશિંગ્ટન પોસ્ટ આ અંગે જણાવતા કહ્યું કે આ જાહેરાતને તાત્કાલિક અસર સાથે સાઇટ પરથી નીકાળી દેવામાં આવી છે.