હિંદુ-મુસ્લિમ કપલ પાસપોર્ટ વિવાદમાં ઘેરાયા સુષ્મા સ્વરાજ, ટ્વિટર પર અભદ્ર ટીપ્પણીઓ
લખનઉનો આંતરધર્મીય પાસપોર્ટ વિવાદ હજુ શમવાનું નામ નથી લેતો. ઉત્તરપ્રદેશનના લખનઉ પાસપોર્ટ ઓફિસના અધિકારી વિકાસ મિશ્રાના સમર્થનમાં ઉતરેલા લોકોએ સોશિયલ મીડિયા પર સુષ્મા સ્વરાજને ઘેરી લીધા છે.
લખનઉનો આંતરધર્મીય પાસપોર્ટ વિવાદ હજુ શમવાનું નામ નથી લેતો. ઉત્તરપ્રદેશનના લખનઉ પાસપોર્ટ ઓફિસના અધિકારી વિકાસ મિશ્રાના સમર્થનમાં ઉતરેલા લોકોએ સોશિયલ મીડિયા પર સુષ્મા સ્વરાજને ઘેરી લીધા છે. Twitter પર લોકોએ #SupportVikasMishra ના નામથી ટ્રેન્ડ ચલાવીને પાસપોર્ટ મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સામે ભેદભાવનો આરોપ લગાવ્યો તેમજ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો. વળી, એક યુઝરે તો સુષ્મા સ્વરાજની ટ્વિટર રેટિંગને 1 સ્ટાર આપીને ભડકાઉ ટીપ્પણીઓ પણ કરી.
તમને
જણાવી
દઈએ
કે
હિંદુ-મુસ્લિમ
કપલ
પાસપોર્ટ
વિવાદ
બાદ
વિદેશ
મંત્રાલયના
અધિકારી
વિકાસ
મિશ્રા
સામે
કાર્યવાહીની
વાત
કરવામાં
આવી
હતી.
એક
ટ્વીટર
યુઝરે
સુષ્મા
સ્વરાજને
લખ્યુ,
'પક્ષપાતપૂર્ણ
નિર્ણય.
#ISupportVikasMishra.
મેડમ
તમારા
પર
શરમ
આવે
છે.
શું
આ
તમારી
ઈસ્લામી
બિમારીની
અસર
છે.'
વિદેશ પ્રવાસને ખતમ કરીને ભારત પાછા ફરેલા સુષ્મા સ્વરાજે આવીને તરત જ ટ્રોલર્સને જવાબ આપ્યો. સુષ્માએ લખ્યુ, 'હું 17 જૂનથી 23 જૂન સુધી ભારતથી બહાર હતી. મને ખબર નથી મારી અનુપસ્થિતિમાં મારી પાછળ શું થયુ. જો કે મને કેટલાક ટ્વિટથી સમ્માનિત કરવામાં આવી. જે હું તમારી સાથે શેર કરી રહી છુ. એટલા માટે એ પસંદ કર્યા છે.'
તમને જણાવી દઈએ કે તન્વી શેઠ અને તેનો પતિ અનસ સિદ્દીકી ગયા અઠવાડિયે પાસપોર્ટ બનાવવા માટે લખનઉ ગયા હતા. ત્યારબાદ સીનિયર સુપ્રિટેન્ડન્ટ વિકાસ મિશ્રાએ તન્વીના નિકાહનામા તેમજ અન્ય દસ્તાવેજ પર સવાલ ઉઠાવ્યા હતા. તન્વીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટર પર આની ફરિયાદ પણ કરી હતી કે તેમને ધર્મ પરિવર્તન માટે ઉકસાવવામાં આવી રહ્યા છે. મીડિયામાં મામલો ઉછળ્યા બાદ વિદેશ મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો અને સ્થાનિક પાસપોર્ટ અધિકારીએ કલાકમાં જ પાસપોર્ટ બનાવીને આપી દીધો.
તન્વી શેઠના નિકાહ અનસ સિદ્દીકી સાથે મુસ્લિમ પર્સનલ લૉ મુજબ થયા છે. એ હિસાબે તેનું નામ બદલીને શાજિયા અનસ રાખવામાં આવ્યુ છે. લખનઉની પાસપોર્ટ ઓફિસમાં તન્વી શેઠને જ્યારે પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રાએ નિકાહનામામાં તેનું નામ શાજિયા અનસ બતાવવા માટે કહ્યુ તો તન્વી શેઠે ઈનકાર કરી દીધો અને પછી વિવાદ ચાલુ થયો. વિકાસ મિશ્રાએ તો તે ત્યાં સુધી કહી દીધુ કે તે ધર્મનિરપેક્ષ અને નિષ્પક્ષ છે. વિકાસ મિશ્રાએ કહ્યુ કે તેમણે પોતે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે.