નક્સલવાદીઓએ ધારાસભ્ય સહિત TDPના બે નેતાની હત્યા કરી
નક્સલવાદીઓએ ધારાસભ્ય સહિત TDPના બે નેતાની હત્યા કરી
વિશાખાપટ્ટનમઃ આજે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના બે નેતાઓની નક્સલવાદીઓએ ગોળી મારી હત્યા કરી નાખી. અરાકૂના ધારાસભ્ય કિદારી સર્વેસ્વરા રાવ અને પૂર્વ ધારાસભ્ય સિવેરી સોમાને ડુંબ્રીગુડા મંડળમાં નક્સલીઓએ ટાર્ગેટ કર્યા હતા, ઘટના સ્થળે જ બંને નેતા મૃત્યુ પામ્યા. માનવામાં આવી રહ્યું છે કે 60થી વધુ નક્સલવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી.
પોલીસે જણાવ્યું કે અગાઉ પણ માઓવાદીઓ તરફથી બંનેને ધમકી મળતી રહી હતી. આ અંગે વિશાખાપટ્ટનમના ડીઆઈજી શ્રીકાંતે મીડિયાને જણાવ્યું કે પીએસઓ પાસેથી તથ્યોની જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. માહિતી મુજબ હથિયારધારી 20 જેટલા માઓવાદી હતા અને આજુબાજુના વિસ્તારમાં હજુ હોય શકે છે જેઓ ગ્રામજનોની સાથે આવ્યા હતા. અંદાજા મુજબ 20 જેટલા નક્સલીઓએ બપોરે 12 વાગ્યે એમના પર હુમલો કર્યો, પીએસઓ પાસેથી હથિયાર છીનવી લીધાં અને એમના પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. ઘટના સ્થળે જ બંને મૃત્યુ પામ્યા. હુમલો થવા પાછળનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.
Visakhapatnam: #Visuals from the spot where TDP leaders Kidari Sarveswara Rao & Siveri Soma, present and former MLA from Araku respectively, were shot dead by Naxals today. #AndhraPradesh pic.twitter.com/RoFBBHQUK7
— ANI (@ANI) September 23, 2018
જણાવી દઈએ કે સર્વેશ્વરા રાવ 2014માં યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર અકારુમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અકારૂ વિધાનસભા અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. એમણે ટીડીપીના સિવેરી સોમને હરાવ્યા હતા જો કે 2016માં રાવ ટીડીપીમાં સામેલ થઈ ગયા હતા.
આ પણ વાંચો- દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ 'આયુષ્માન ભારત'નું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું