વારાણસી, 20 મે: લોકસભા ચૂંટણી પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી એકતરફી જીત બાદ પાર્ટી દેશમાં સારા દિવસો લાવવાનો પ્લાન ગઢવામાં લાગી ગઇ છે. પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પોતાના સંસદીય વિસ્તાર વારાણસીનો વિકાસ પ્લાન બનાવ્યો છે. અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'એ આ સંબંધમાં એક સમાચાર પ્રકાશિત કર્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર નરેન્દ્ર મોદીની ટીમે વારાણસીના વિકાસ માટે દિગ્ગજ અધિકારીઓ સાથે વાત કરી છે.
ભારતીય જનતા પાર્ટીની ટીમે શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિદાન માટે 60 ફ્લાઇઓવર બનાવવાનો પ્લાન આપ્યો છે. જેમાં ગંગા નદીના બંને કિનારાને જોડવામાં આવશે જેથી ટ્રાફીકની સમસ્યા ઓછી થશે. આ ઉપરાંત, બીજું મોટું કામ છે ગંગા નદીની સફાઇનું. બીએચયૂના રાજનીતિ શાસ્ત્રના પ્રોફેસર કેકે મિશ્રાએ જણાવ્યું કે ટીમ મોદી ગંગા નદીના ગૌરવને ફરીથી સ્થાપિત કરવાને લઇને ગંભીર છે.