ઐશ્વર્યાએ મારી પર પાણી ફેંક્યું, મારપીટ પણ થઇ
લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ ઘ્વારા આપવામાં આવેલી તલાક અરજી મામલે નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે.
લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ ઘ્વારા આપવામાં આવેલી તલાક અરજી મામલે નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. પટના સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેજ પ્રતાપે લખ્યું છે કે તેની પત્ની ઐશ્વર્યા તેના અને નાના ભાઈ તેજસ્વી વચ્ચે આવી રહી હતી. તે બંને ભાઈઓ વચ્ચે લડાઈ કરાવવા માંગતી હતી. ન્યુઝ 18 રિપોર્ટ અનુસાર તેજ પ્રતાપે અરજીમાં લખ્યું છે કે ઐશ્વર્યા તેને અને તેના ભાઈને લડાવવા માંગતી હતી. તે કહેતી હતું કે તેજસ્વી તેનાથી બળે છે.
આ પણ વાંચો: શું વૃંદાવનના કોઈ 'બાબા'ના કહેવાથી તેજ પ્રતાપ યાદવે માંગ્યા પત્ની પાસે છૂટાછેડા?
ઐશ્વર્યાએ તેજ પ્રતાપ પર પાણી ફેંક્યું
તલાકની અરજીમાં તેજ પ્રતાપે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેને 12 મેં દરમિયાન થયેલા લગ્ન પછી 1 સપ્ટેમ્બર સુધી થયેલા ઘણા વિવાદો વિશે તલાકની અરજીમાં ઉલ્લેખ કર્યો છે. તેજ પ્રતાપે અરજીમાં લખ્યું છે કે 2 જૂને ઐશ્વર્યાએ મને કહ્યું કે તમારા ત્યાં બધા જ અભણ છે. તેજ પ્રતાપ અનુસાર 9 અને 11 જૂને પત્ની ઐશ્વર્યા સાથે ઝગડો થયો. તેને જણાવ્યું કે ઐશ્વર્યાએ તેની ઉપર પાણી ફેંકી દીધું હતું ત્યારપછી બંને વચ્ચે મારપીટ પણ થઇ.
ઐશ્વર્યા તેના પિતા ચંદ્રિકા રાયને છપરા ટિકિટ અપાવવા માટે દબાણ કરી રહી હતી
તલાક અરજીમાં તેજ પ્રતાપે આગળ લખ્યું છે કે જૂનમાં ઝગડો થયા પછી જુલાઈમાં પણ બંને વચ્ચે લડાઈ થઇ. તેની સાથે સાથે તેજ પ્રતાપે પોતાની પત્ની ઐશ્વર્યા પર રાજનૈતિક સ્વાર્થનો પણ આરોપ લગાવ્યો છે. તેજ પ્રતાપ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ઐશ્વર્યા તેના પિતા ચંદ્રિકા રાયને છપરા ટિકિટ અપાવવા માટે દબાણ કરી રહી હતી. તેજ પ્રતાપે લખ્યું છે કે ઐશ્વર્યા બોલતી હતી કે જો મારા પિતાને ટિકિટ નહીં મળે તો લગ્ન કરવાનો શુ ફાયદો.
બંધ રૂમમાં સુનાવણી થાય તેના માટે અરજી
તેજ પ્રતાપ યાદવે ગયા શુક્રવારે પત્ની ઐશ્વર્યાથી તલાક લેવા માટે પટના સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. આખા મામલે 29 નવેમ્બરે સુનાવણી થશે. તેજ પ્રતાપના લગ્ન 12 મેં 2018 દરમિયાન થયા હતા.