Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંસદમાં પણ સંભળાઇ દૈનિક ભાસ્કર પર એક્શનની ગુંજ, કોંગ્રેસ બોલ્યું- કોરોના પર સચ્ચાઇ બતાવવાની કિંમત છે આ રેડ

આવકવેરા વિભાગે મીડિયા ગૃપ દૈનિક ભાસ્કરની ઓફિસો પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે ગુરુવારે કરચોરીના આરોપસર વિવિધ શહેરોમાં સ્થિત મીડિયા જૂથ દૈનિક ભાસ્કરના દેશભરમાં દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભોપાલ

આવકવેરા વિભાગે મીડિયા ગૃપ દૈનિક ભાસ્કરની ઓફિસો પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે ગુરુવારે કરચોરીના આરોપસર વિવિધ શહેરોમાં સ્થિત મીડિયા જૂથ દૈનિક ભાસ્કરના દેશભરમાં દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભોપાલ, જયપુર, અમદાવાદ અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દૈનિક ભાસ્કર પર દરોડાનો પડઘો સંસદમાં પણ સભળાયા હતા. સંસદમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ એવી હંગામો મચાવ્યો હતો કે રાજ્ય સભાની કાર્યવાહી પણ થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી.

Dainik Bhashkar

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર સંસદમાં વિરોધી પક્ષોના સભ્યોએ ટેક્સના દરોડા અને જાસૂસી વિવાદ અંગે મીડિયા જૂથ દૈનિક ભાસ્કર ઉપર દરોડા સામે નારા લગાવ્યા હતા, ત્યારબાદ રાજ્યસભા બપોર 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. અહીં જો સત્તાવાર સૂત્રોનું માનવું હોય તો, આ કાર્યવાહી વિવિધ રાજ્યોમાં કાર્યરત હિન્દી મીડિયા જૂથોના પ્રમોટરોની વિરુદ્ધ પણ છે.

કોંગ્રેસના નેતા જયરામ નરેશથી માંડીને દિગ્વિજય સિંહે દૈનિક ભાસ્કર પરના દરોડા અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે, 'દૈનિક ભાસ્કરે પોતાના અહેવાલ દ્વારા મોદી સરકાર દ્વારા કોરોના સામે ગેરવહીવટનો પર્દાફાશ કર્યો હતો. હવે તેણે તેની કિંમત ચૂકવવી પડશે. આ એક અઘોષિત કટોકટી છે, કેમ કે અરુણ શૌરી કહે છે કે, તે એક મોડિફાઇડ ઇમરજન્સી છે.

કોંગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ટ્વીટ કરીને મોદી - શાહ દ્વારા પત્રકારત્વ પર હુમલો ગણાવ્યો હતો. દિગ્વિજયસિંહે ટ્વીટ કર્યું હતું કે, 'મોદી-શાહનો પત્રકારત્વ પર હુમલો! મોદી શાહનું એકમાત્ર શસ્ત્ર આઇટી, ઇડી અને સીબીઆઈ છે. મને ખાતરી છે કે અગ્રવાલ ભાઈઓ ડરશે નહીં. આગળ દિગ્વિજયસિંહે લખ્યું કે, 'આવકવેરા તપાસ વિંગની ગેરીલા કાર્યવાહી દૈનિક ભાસ્કરના વિવિધ સ્થળોએ શરૂ થઈ. આવકવેરાની ટીમ અડધો ડઝન સ્થળોએ હાજર છે.

ઉલ્લેખનીય છેકે દૈનિક ભાસ્કર જૂથ દેશમાં કુલ 5 ન્યુઝપેપર પ્રકાશિત કરે છે. હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં તેની 65 આવૃત્તિઓ દેશના જુદા જુદા ભાગોમાંથી પ્રકાશિત થાય છે. આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી તરંગ દરમિયાન દૈનિક ભાસ્કર અખબાર જૂથે વ્યાપક કવરેજ કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X