સંસદમાં પણ સંભળાઇ દૈનિક ભાસ્કર પર એક્શનની ગુંજ, કોંગ્રેસ બોલ્યું- કોરોના પર સચ્ચાઇ બતાવવાની કિંમત છે આ રેડ
આવકવેરા વિભાગે મીડિયા ગૃપ દૈનિક ભાસ્કરની ઓફિસો પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે ગુરુવારે કરચોરીના આરોપસર વિવિધ શહેરોમાં સ્થિત મીડિયા જૂથ દૈનિક ભાસ્કરના દેશભરમાં દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભોપાલ
આવકવેરા વિભાગે મીડિયા ગૃપ દૈનિક ભાસ્કરની ઓફિસો પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે ગુરુવારે કરચોરીના આરોપસર વિવિધ શહેરોમાં સ્થિત મીડિયા જૂથ દૈનિક ભાસ્કરના દેશભરમાં દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભોપાલ, જયપુર, અમદાવાદ અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દૈનિક ભાસ્કર પર દરોડાનો પડઘો સંસદમાં પણ સભળાયા હતા. સંસદમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ એવી હંગામો મચાવ્યો હતો કે રાજ્ય સભાની કાર્યવાહી પણ થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર સંસદમાં વિરોધી પક્ષોના સભ્યોએ ટેક્સના દરોડા અને જાસૂસી વિવાદ અંગે મીડિયા જૂથ દૈનિક ભાસ્કર ઉપર દરોડા સામે નારા લગાવ્યા હતા, ત્યારબાદ રાજ્યસભા બપોર 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. અહીં જો સત્તાવાર સૂત્રોનું માનવું હોય તો, આ કાર્યવાહી વિવિધ રાજ્યોમાં કાર્યરત હિન્દી મીડિયા જૂથોના પ્રમોટરોની વિરુદ્ધ પણ છે.
Income Tax Department raids multiple premises of media group Dainik Bhaskar in Bhopal, Jaipur and other locations: Officials
— Press Trust of India (@PTI_News) July 22, 2021
કોંગ્રેસના નેતા જયરામ નરેશથી માંડીને દિગ્વિજય સિંહે દૈનિક ભાસ્કર પરના દરોડા અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે, 'દૈનિક ભાસ્કરે પોતાના અહેવાલ દ્વારા મોદી સરકાર દ્વારા કોરોના સામે ગેરવહીવટનો પર્દાફાશ કર્યો હતો. હવે તેણે તેની કિંમત ચૂકવવી પડશે. આ એક અઘોષિત કટોકટી છે, કેમ કે અરુણ શૌરી કહે છે કે, તે એક મોડિફાઇડ ઇમરજન્સી છે.
Through its reporting Dainik Bhaskar has exposed the Modi regime’s monumental mismanagement of the COVID-19 pandemic. It is now paying the price.
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 22, 2021
An Undeclared Emergency as Arun Shourie has said — this is a Modified Emergency. https://t.co/EVLHGisGTq
કોંગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ટ્વીટ કરીને મોદી - શાહ દ્વારા પત્રકારત્વ પર હુમલો ગણાવ્યો હતો. દિગ્વિજયસિંહે ટ્વીટ કર્યું હતું કે, 'મોદી-શાહનો પત્રકારત્વ પર હુમલો! મોદી શાહનું એકમાત્ર શસ્ત્ર આઇટી, ઇડી અને સીબીઆઈ છે. મને ખાતરી છે કે અગ્રવાલ ભાઈઓ ડરશે નહીં. આગળ દિગ્વિજયસિંહે લખ્યું કે, 'આવકવેરા તપાસ વિંગની ગેરીલા કાર્યવાહી દૈનિક ભાસ્કરના વિવિધ સ્થળોએ શરૂ થઈ. આવકવેરાની ટીમ અડધો ડઝન સ્થળોએ હાજર છે.
पत्रकारिता पर मोदीशाह का प्रहार!! मोदीशाह का एक मात्र हथियार IT ED CBI!
— digvijaya singh (@digvijaya_28) July 22, 2021
मुझे विश्वास है अग्रवाल बंधु डरेंगे नहीं।
दैनिक भास्कर के विभिन्न ठिकानों पर इनकम टैक्स इन्वेस्टिगेशन विंग की छापामार कार्रवाई शुरू...
प्रेस कॉन्प्लेक्स सहित आधा दर्जन स्थानों पर मौजूद है इनकम टैक्स की टीम
ઉલ્લેખનીય છેકે દૈનિક ભાસ્કર જૂથ દેશમાં કુલ 5 ન્યુઝપેપર પ્રકાશિત કરે છે. હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં તેની 65 આવૃત્તિઓ દેશના જુદા જુદા ભાગોમાંથી પ્રકાશિત થાય છે. આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી તરંગ દરમિયાન દૈનિક ભાસ્કર અખબાર જૂથે વ્યાપક કવરેજ કર્યું હતું.