સમયની આ તો કેવી ચાલ? એક સમયના રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર હવે ભીખ માંગી જીવન ગુજારી રહ્યા છે

રાજસ્તાન પોલીસ આજકાલ રાજધાની જયપુરની સડકો પર ભિક્ષાવૃત્તિ અને નિરાધાર લોકોનો સર્વે કરી રહી છે. અત્યાર સુધીમાં એક હજારથી વધુ ભિખારીઓનો સર્વે કરવામાં આવ્યો છે.

રાજસ્તાન પોલીસ આજકાલ રાજધાની જયપુરની સડકો પર ભિક્ષાવૃત્તિ અને નિરાધાર લોકોનો સર્વે કરી રહી છે. અત્યાર સુધીમાં એક હજારથી વધુ ભિખારીઓનો સર્વે કરવામાં આવ્યો છે, પરંતુ આ સર્વેમાં એક એવો ભિખારી મળી આવ્યો, જેના વિશે સાંભળ્યા પછી સર્વે ટીમ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. 52 વર્ષિય સુનિલ શર્મા મૂળ રાજસ્થાનના કોટા જિલ્લાના દાદાબાડીના છે. અકસ્માત બાદ તેના પગમાં ઉંડા ઘાવ થવાને કારણે સુનીલ મજુરી કરી શકતા નથી. લોકોની મદદ અને ઇન્દિરા રસોઈ યોજનાથી પોતાનું પેટ ભરી રહ્યા છે.

સુનીલ મજુરી કરે છે.

સુનીલ મજુરી કરે છે.

જયપુર એસીપી નરેન્દ્ર દાયમા અને પોલીસ ઇન્સ્પેક્ટર ગુલઝારીલાલના નેતૃત્વ હેઠળ, ઉત્તર જિલ્લામાં સર્વે કરનારી ટીમે મેટ્રો સ્ટેશન નજીક સુનિલ સાથે ભિક્ષુક તરીકે વાત કરી હતી. ત્યારે સુનિલે કહ્યું કે હું ભિખારી નથી. હું કોઈ પાસેથી પૈસા માંગતો નથી. હા, રાહદારીઓની મદદથી ઈન્દિરા રસોઈમાથી 8 રૂપિયાનું ભોજન કરી લઉ છુ. સુનિલે કહ્યું કે, હું મજૂરી પણ પણ કરું છું. હું વજન ઉપાડુ છું. અકસ્માત પછી હું હવે કામ કરી શકતો નથી. પણ પગ શરૂ થતા કામ કરવાનું શરૂ કરીશ.

લોકો પાસે માંગીને પેટ ભરે છે.

લોકો પાસે માંગીને પેટ ભરે છે.

સુનિલે કહ્યું કે કામ ન કરવાને કારણે તેની પાસે પૈસા નથી. પગના ઘા પર દવા ચાલી રહી છે. દવાઓ મફતમાં મળે છે, પરંતુ ખોરાક મફતમાં ઉપલબ્ધ નથી. તેથી જ હું લોકોને કહીને પેટ ભરૂ છુ. પહેલા હું લોકોને ખવડાવતો હતો પરંતુ હવે હું મજબુર છું. હું એમ જ ક્યાંય પણ ફૂટપાથ પર સૂઈ જાઉં છું.

પરિવાર કોટાની રેલ્વે કોલોનીમાં રહેતો હતો

પરિવાર કોટાની રેલ્વે કોલોનીમાં રહેતો હતો

સુનિલે જણાવ્યું કે તેના પિતા રેલ્વેમાં મોટા અધિકારી હતા. અમે કોટાની રેલ્વે કોલોનીમાં રહેતા હતા. ત્યાં જ તેને સોફિયાની શાળામાં અભ્યાસ કર્યો. આ પછી પિતાની બદલી જયપુર થઈ. ત્યારબાદ તેણે બની પાર્કના ટાગોર વિદ્યા ભવનમાં અભ્યાસ કર્યો. આ પછી કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 માં 12 મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ તિલક નગરની એલબીએસ કોલેજમાંથી અર્થશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતકની ડીગ્રી મેળવી. સુનીલે એનડીએની પરીક્ષા પણ ક્વોલિફાય કરી હતી. એરફોર્સની પરીક્ષા પણ આપી, પરંતુ જોડાયા નહીં. આ સિવાય તેણે ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી હતી.

1987 માં રાષ્ટ્રપતિ એવોર્ડ

1987 માં રાષ્ટ્રપતિ એવોર્ડ

પોલીસ ઇન્સ્પેક્ટર ગુલઝારીલાલ, કોન્સ્ટેબલ કર્મવીરે સુનિલ સાથે વિગતવાર વાત કરી, તો સુનિલે કહ્યું કે તે શાળા અને કોલેજમાં શ્રેષ્ઠ એનસીસી કેડેટ રહ્યા છે. 1987 માં રાષ્ટ્રપતિ આર. વેંકટારામને સુનિલને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કર્યા હતા. તેના કારણે જ તેને 1989 માં સ્કાઉટ ક્વોટાથી રેલ્વેમાં ટીસીની નોકરી મળી હતી. રેલવેમાં જોડાયા બાદ તેમને તાલીમ પણ લીધી હતી, પરંતુ ત્યારબાદ મુંબઈ જવાની ઈચ્છા થતા રેલ્વેની નોકરી છોડી મુંબઈ ગયા. ત્યાં તેમણે એક મોટી ખાનગી કંપનીમાં સ્ટોર ઈન્ચાર્જ તરીકે કામ કર્યું. વર્ષ 2001 માં તેમનો પગાર 26 હજાર રૂપિયા હતો.

માતા-પિતાના મૃત્યુ બાદ ઘર છોડ્યુ

માતા-પિતાના મૃત્યુ બાદ ઘર છોડ્યુ

સુનિલના કહેવા મુજબ, તે લગભગ 11 વર્ષ મુંબઈમાં કામ કરતા રહ્યા. કંપનીનો પ્લાન્ટ બંધ થયા બાદ તેમને કલકત્તા મોકલવા માંગતી હતી, પરંતુ તેઓ નોકરી છોડીને 2007 માં જયપુર આવી ગયા. સુનિલે અહીં તેના પિતાની સેવા કરી. માતાપિતાના મોત બાદ તે ઘર છોડીને મજુરી કરવા લાગ્યા અને વિચરતુ જીવન જીવવાનું શરૂ કર્યુ. સુનીલ કહે છે કે તેનો ભાઈ તેને કોટામાં રાખવા તૈયાર છે, પરંતુ તેમનું મન ન હોવાથી ઘર છોડ્યું. સુનિલે લગ્ન પણ નથી કર્યા. પરિવારમાં એક નાનો ભાઈ અને મોટો ભાઈ છે. તેના ભાઇએ અકસ્માતની સારવારમાં લગભગ દોઢ લાખ રૂપિયા ખર્ચ કર્યા, ત્યારે તેના ભાઈ જયપુરમાં હતા, હવે તે મુંબઇ ચાલ્યા ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X