નહીં બોલાવાય સંસદનું શિયાળુ સત્ર, મોદી સરકારે કોંગ્રેસની માંગ ઠુકરાવી
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે કોરોના વાયરસ રોગચાળાને કારણે આ વખતે સંસદનું શિયાળુ સત્ર બોલાવાશે નહીં. હકીકતમાં, કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ માંગ કરી હતી કે ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને કૃષિ કાયદાઓની ચર્ચા કરવ
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે કોરોના વાયરસ રોગચાળાને કારણે આ વખતે સંસદનું શિયાળુ સત્ર બોલાવાશે નહીં. હકીકતમાં, કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ માંગ કરી હતી કે ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને કૃષિ કાયદાઓની ચર્ચા કરવા સંસદનું સત્ર બોલાવવામાં આવે. અધિર રંજન ચૌધરીની માંગને નકારી કાઢતા સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ પત્ર લખીને કહ્યું કે તેમણે શિયાળુ સત્ર વિશે પાર્ટીના જુદા જુદા નેતાઓ સાથે અનૌપચારિક વાત કરી હતી. પ્રહલાદ જોશીએ કહ્યું કે હાલમાં તમામ પક્ષો શિયાળુ સત્ર નહીં બોલાવવાના પક્ષમાં છે.

જોકે, વિરોધી પક્ષોના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકારે શિયાળુ સત્ર બોલાવવા માટે તેમની સાથે કોઈ વાતચીત કરી નથી. સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને સંસદનું સત્ર બોલાવવા વિપક્ષી પાર્ટીઓએ આગ્રહ કર્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે શિયાળુ સત્ર અંગે રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ સાથે સરકારે કોઈ ચર્ચા કરી નથી. જયરામ રમેશે પોતાની ટવીટમાં લખ્યું છે કે પ્રહલાદ જોશી રાબેતા મુજબ સત્યથી દૂર જતા રહ્યા છે.
જ્યારે આ મામલે ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયનને પૂછવામાં આવ્યું કે શું શિયાળાના સત્રમાં પ્રહલાદ જોશીએ તેમની પાર્ટી સાથે કોઈ ચર્ચા કરી છે, તો તેઓ ચોંકી ગયા અને કહ્યું, 'ચર્ચા? શું તમે મજાક કરો છો આ બાબતે પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે સરકાર સંસદના આગલા સત્રને વહેલી તકે બોલાવવા માંગે છે, પરંતુ કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને જાન્યુઆરીમાં જ બજેટ સત્રમાં તેને બોલાવવાનું વધુ સારું રહેશે.
આ પણ વાંચો: 2022 ની યુપી વિધાનસભા ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી, કેજરીવાલે કરી જાહેરાત
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં








Click it and Unblock the Notifications
