સામાન્ય બજેટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જે જાણવી જરૂરી છે
સામાન્ય બજેટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જે જાણવી જરૂરી છે
નવી દિલ્હી, નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે. આ બજેટને લઇને સરકાર પણ ઘણા લાંબા સમયથી તૈયારી કરી રહી હતી. સામાન્ય બજેટને લઇને લોકોને ખૂબ આશા છે. પરંતુ બીજી તરફ સામાન્ય બજેટ સાથે જોડાયેલી કેટલીકા વાતો પણ છે જેને કદાચ જ લોકો જાણે છે. તો આવો સામાન્ય બજેટ સાથે જોડાયેલી ખાસ વાતો તમને જણાવીએ જે તમારે જાણવી ખૂબ જરૂરી છે.
1947માં પ્રથમ બજેટ
વર્ષ 1947ના નવેમ્બર મહિનામાં આરકે શનમુખમ ચેટ્ટીએ પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ આખી પ્રક્રિયામાં દેશની અર્થવ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને કોઇ નવો ટેક્સ લાદવામાં આવ્યો નહી.
ફક્ત 35 દિવસ માટે નાણામંત્રી
કેસી નિયોગી ફક્ત 35 દિવસ જ દેશના નાણામંત્રી રહી ચૂક્યા. તે જ એકમાત્ર નાણામંત્રી છે બજેટ રજૂ કરી શક્યા નથી.
આયોજન પંચની જાહેરાત
આયોજન પંચની રચનાની જાહેરાત ત્રીજા નાણામંત્રી જૉન મથાઇએ 1950-51માં પોતાના બજેટ ભાષણમાં કરી હતી
આરબીઆઇ ગર્વનર બન્યા નાણામંત્રી
સીડી દેશમુખ દેશના પ્રથમ નાણામંત્રી હતા જે મંત્રી બન્યા પછી પહેલા ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ગર્વનર હતા. તે આરબીઆઇના પ્રથમ ગર્વનર હતા.
જવાહરલાલે રજૂ કર્યું બજેટ
જવાહર લાલ નહેરૂ પ્રથમ વડાપ્રધાન હતા જ્યારે તેમણે નાણામંત્રાલયનો વધારાનો પ્રભાર સંભાળતાં 1958-59માં બજેટ રજૂ કર્યું હતું.
સૌથી વધુ વખત વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી
સૌથી વધુ બજેટ રજૂ કરવાનું ગૌરવ મોરારજી દેસાઇના નામે છે. તેમણે કુલ દસ વખત બજેટ રજૂ કર્યું. તે એકમાત્ર નાણામંત્રી છે જેમણે 1964 અને 1968માં બે વાર પોતાના જન્મદિવસ પર બજેટ રજૂ કર્યું. તેમનો જન્મ 29 ફેબ્રુઆરીના રોજ થયો હતો.
દેશના એકમાત્ર મહિલા નાણામંત્રી
દેશના એકમાત્ર મહિલા નાણામંત્રી સ્વર્ગીય ઇન્દિરા ગાંધી હતા.
નાણામંત્રી બન્યા રાષ્ટ્રપતિ
આર વેટરામન એકમાત્ર નાણામંત્રી હતા જે દેશના રાષ્ટ્રપતિ પણ બન્યા.
રાજ્યસભા પ્રથમ સભ્ય જે બન્યા નાણામંત્રી
વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાજ્ય સભાના પહેલા સભ્ય હતા જે નાણામંત્રી બન્યા.
સતત પાંચ વર્ષ બજેટ રજૂ કર્યું
મનમોહન સિંહ અને યશવંત સિંહાએ સતત પાંચ વર્ષ બજેટ રજૂ કર્યું.
સાંજે બજેટ રજૂ કરવામાં આવતું હતું
યશવંત સિંહાએ 1999-2000નું બજેટ બપોરે રજૂ કરવામાં આવ્યું. આ પહેલાં, બ્રિટીશના આધારે બજેટ સાંજે પાંચ વાગે રજૂ કરવામાં આવતું હતું.
કર્મચારીઓ રહે છે કેદ
બજેટના પેપર નોર્થ બ્લોકમાં છપાઇ છે, જ્યાં નાણામંત્રાલયની ઓફિસ છે. પ્રેસના કર્મચારીઓને મંત્રાલયમાં ત્યાં સુધી રહેવું પડે છે જ્યાં સુધી બજેટ પ્રક્રિયા પુરી થઇ જતી નથી.