400 યૂનિટ સુધી વિજળી પર 50 ટકાની સબસિડી, 1 માર્ચથી મળશે લાભ
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે વીજળીના બિલને લઇને મોટો નિર્ણય કરતા લોકોને 50 ટકા સુધી બિલમાં રાહત આપવાની જાહેરાત કરી છે. વીજળીની સાથે સાથે દિલ્હીવાસીઓને દર મહિને 20 હજાર લીટર સુધી મફત પાણી પુરૂ પાડવામાં આવશે.
Manish
Sisodia,Deputy
CM
Delhi
:
We
had
promised
to
reduce
power
tariffs,
families
using
power
till
400
units
will
get
it
on
half
the
price
—
ANI
(@ANI_news)
February
25,
2015
નવી યોજના એક માર્ચથી શરૂ કરવામાં આવશે. એટલે આપ જો આપના વિજળીના બિલમાં 50 ટકા સુધીની છૂટ ઇચ્છતા હોવ તો પોતાના ઘરમાં વીજળીના ઉપયોગને 400 યુનિટની અંદર કરવાનો પ્રયત્ન કરો. આ યોજનાએ દિલ્હીના લગભગ 90 ટકા લોકોને ફાયદો મળી શકે તેમ છે.
અત્રે નોંધનીય છે કે મનીષ સિસોદીયાએ આની સાથે વધુ એક જાહેરાત પણ કરી છે. તેમણે જણાવ્યું કે એક માર્ચથી દિલ્હીના દરેક પરિવારને મહિને 20 હજાર લીટર પાણી મફત આપવામાં આવશે. જો તેઓ 20 હજારથી વધારેનો ઉપયોગ કરશે તો તેમણે પાણી માટે રૂપિયા ચૂકવવા પડશે.
20,000
litres
water
each
month
shall
be
free
per
household
:
Manish
Sisodia,
Deputy
CM
Delhi
pic.twitter.com/FmzCDvLuSA
—
ANI
(@ANI_news)
February
25,
2015