ભારતીય PM નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતના ટોપ 10 એજન્ડા
નવી દિલ્હી, 30 ઓગસ્ટ : ભારતના નવા વડાપ્રધાન બન્યા બાદ ત્રણ જ મહિનામાં ભૂટાન, બ્રાઝિલ અને નેપાળનું દિલ જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જાપાનનું દિલ જીતવા માટે જાપાનના ઓસાકા ખાતે પહોંચ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને રાજદ્વારી સંબંધો અને આર્શિક સંબંધોની દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવી રહી છે.
આ મુલાકાતથી બંને દેશોને ઘણી આશા છે. જાપાનને અપેક્ષા છે કે મોદી પોતાની જાપાન યાત્રા દરમિયાન સંબંધોનો એક નવો અધ્યાય શરૂ કરશે. આજે સવારે મોદી જાપાનની આદ્યાત્મિક નગરી ગણાતા કયોટો શહેર પહોંચ્યા હતા. જયાં જાપાનના વડાપ્રધાન શીંજો અબે એ ખુદ નરેન્દ્ર મોદીનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું.
PM
@narendramodi
arrives
in
Kyoto.
Heads
for
meeting/dinner
with
Japanese
PM
@AbeShinzo
pic.twitter.com/1J8P8Ig5g5
—
Syed
Akbaruddin
(@MEAIndia)
August
30,
2014
માનવામાં આવી રહ્યું છે કે જાપાનમાં મોદી સંબંધોની એક નવી પરિભાષા આલેખશે અને વિકાસનો એક નવો અધ્યાય શરૂ કરાશે. આ યાત્રા દરમિયાન જાપાન સાથે વ્યાપારી સમજુતીની સાથે-સાથે નાગરિક પરમાણુ કરાર ઉપર પણ સહી-સિક્કા થઇ શકે છે. જાપાનથી એફડીઆઇ બમણી કરવાના પ્રયાસ કરશે. ભારત પાસે જમીન છે અને જાપાન પાસે ટેકનીક છે. મોદી એ બંનેને જોડીને મેઇડ ઇન ઇન્ડિયાનું સપનું પુરૂ કરવામાં કોઇ કસર નહી છોડે. મોદીની જાપાન યાત્રા બંને દેશો માટે ઘણી મહત્વની છે.
નરેન્દ્ર મોદીની સાથે એક ડઝનથી વધુ ટોચના ઉદ્યોગપતિઓ જાપાન ગયા છે. બંને દેશોની અર્થવ્યવસ્થા એકબીજાની પુરક છે. જાપાનમાં સંપન્નતા અને ટેકનીકનું સામર્થ્ય છે તો ભારતમાં પ્રાકૃતિક સંશાધન અને પોતાના અર્થતંત્રને આધુનિક બનાવવાની ક્ષમતા છે.
અહીં જાણીએ નરેન્દ્ર મોદીની જાપાન યાત્રાના ટોપના એજન્ડામાં કયા મુદ્દા સમાવવામાં આવ્યા છે...
1 - મહત્તમ FDI ખેંચી લાવવી
નરેન્દ્ર
મોદી
જાપાનની
મુલાકાતથી
ભારતને
મહત્તમ
FDI
અપાવવા
માંગે
છે.
આ
માટે
તેઓ
તેમની
સાથે
ભારતના
ટોચના
ઉદ્યોગપતિઓનું
પ્રતિનિધિ
મંડળ
લઇ
ગયા
છે.
2 - નાગરિક પરમાણું કરાર
આ
મુલાકાત
દરમિયાન
જાપાન
સાથે
નાગરિક
પરમાણુ
કરાર
થવાની
શકયતા
છે.
આ
મામલે
સાડા
ત્રણ
વર્ષની
ચર્ચાઓ
છતાં
હજુ
ઘણુ
બધુ
કરવાનું
બાકી
છે.
3 - US - 2 એમ્ફીબીયન એરક્રાફટ
જાપાનથી
15
વિમાનોના
ડીલની
વાત
થઇ
રહી
છે.
જેમાંથી
ત્રણ
આપણે
ખરીદશું
અને
૧ર
ખુદ
બનાવશું.
હવા
અને
પાણીમાં
ચાલતા
આવા
એરક્રાફટની
ટેકનીકમાં
જાપાન
ઘણુ
આગળ
છે.
4 - વ્યુહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય
સંરક્ષણ
અને
વિદેશ
મંત્રાલયના
સચિવ
અને
ઉપમંત્રીઓ
વચ્ચે
2+2
ફોર્મેટવાળી
વાર્ષિક
વાટાઘાટોને
અપગ્રેડ
કરવાનું
પણ
એજન્ડામાં
છે
એટલે
કે
દર
વર્ષે
મંત્રી
સ્તરની
વાટાઘાટો
થઇ
શકે
છે
પરંતુ
જાપાન
આવુ
માત્ર
અમેરિકા
અને
રૂસ
સાથે
કરે
છે.
5 - મેરીટાઇમ સમજુતી
મોદીની
મુલાકાત
દરમિયાન
ભારત
અને
જાપાનનું
નૌકાદળ
સંયુકત
અભ્યાસ
ઉપર
પણ
ફેંસલો
લઇ
શકે
છે.
હકીકતમાં
ભારત-જાપાન
સંરક્ષણ
ક્ષેત્રમાં
ચીનના
દબદબાને
હળવો
કરવા
નિર્ણાયક
સાબીત
થઇ
શકે
છે.
6 - આર્થિક સમજુતી
મોદીની
સાથે
આ
મુલાકાતમાં
મુકેશ
અંબાણી,
અદાણી,
ચંદા
કોચર,
કિરણ
મજમુદાર
સહિતના
ઉદ્યોગપતિઓ
અને
અર્થશાસ્ત્રીઓ
જોડાયા
છે.
એવી
આશા
છે
કે,
આર્થિક
મોરચે
અનેક
મોટા
કરારો
થશે.
7 - જાપાનથી ફંડ
નરેન્દ્ર
મોદી
અર્થતંત્રને
વેગવંતુ
બનાવવા
માટે
આવતા
પાંચ
વર્ષમાં
જાપાન
પાસેથી
1.7
લાખ
કરોડ
ડોલરનું
ફંડ
ઇચ્છે
છે.
8 - જાપાનની મદદ
આ
ઉપરાંત
સ્માર્ટ
સીટી,
રેલ્વે
પ્રોજેકટ,
સોલાર
એનર્જી
અને
ગંગા
સફાઇ
અભિયાન
જેવા
પ્રોજેકટ
માટે
ભારત
જાપાનની
મદદ
ઇચ્છે
છે.
9 - રક્ષા ક્ષેત્રે સહયોગ
ભારત
જાપાન
સાથે
અત્યાધુનિક
ડિફેન્સ
ટેકનોલોજી
અને
ઉપકરણોના
ક્ષેત્રોમાં
સહયોગ
કરવાની
અપેક્ષા
રાખે
છે.
10 - બુલેટ ટ્રેન સમજુતી
કયોટોમાં
મોદી
જાપાનની
હાઇસ્પીડ
રેલ્વેને
નિહાળશે.
વડાપ્રધાને
ભારતમાં
બુલેટ
ટ્રેન
ચલાવવાની
વાત
જણાવી
છે
પરંતુ
જાપાનને
આ
મામલામાં
ચીન
તરફથી
જોરદાર
સ્પર્ધા
મળી
રહી
છે.