કર્ણાટકમાં આજે ટ્રાન્સપોર્ટની હડતાલ, ઓલા ઉંબર પણ નહીં ચાલે
કર્ણાટક કોર્પોરેશન ઘ્વારા આજે પ્રદેશભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશન ઘ્વારા બેંગ્લોરમાં થનારું પ્રદર્શન રોકી દેવામાં આવ્યું છે.
કર્ણાટક કોર્પોરેશન ઘ્વારા આજે પ્રદેશભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશન ઘ્વારા બેંગ્લોરમાં થનારું પ્રદર્શન રોકી દેવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન મોટર વેહિકલ સંશોધન બિલ 2017 વિરોધ કરી રહ્યું છે. મોબાઈલ એપ ઘ્વારા ચાલતી કંપનીઓ ઓલા અને ઉંબર ઘ્વારા પણ તેનું સમર્થન કરવામાં આવ્યું છે, જેને કારણે લોકોને ઘણી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની બસો પહેલા મુજબ જ ચાલતી રહેશે.
કેએસઆરટીસી ઘ્વારા નવા બિલ સંશોધન પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ બિલ પછી પ્રાઇવેટ કંપનીઓ પણ પબ્લિક સેક્ટર ટ્રાન્સપોર્ટમાં આવી જશે. આ બંધનું સમર્થન કરતા લેફ્ટ ઘ્વારા બંધનું સમર્થન કરવામાં આવ્યું છે. તેની સાથે તેમને માંગ કરી છે કે તેમની 10 માંગો પણ સ્વીકારી લેવામાં આવે, જેમાં ટિકિટની કિંમત વધારવાની માંગ પણ જોડાયેલી છે. સેન્ટર ઓફ યુનિયન ટ્રેડ ઘ્વારા પણ તેનું સમર્થન કરવામાં આવ્યું છે જેને કારણે લોકોને મુસીબત વેઠવી પડી રહી છે.
સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન અધ્યક્ષ ચક્રવતી ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોકો અમારી માંગને સમર્થન કરશે. તેમને જણાવ્યું કે અમારું ઉદેશ લોકોની દિનચર્યા ખરાબ કરવાનું નથી પરંતુ જે લોકો આ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી બચ્યો.