મહારાષ્ટ્રઃ શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધન 'મહા વિકાસ અઘાડી'ના નેતા ચૂંટાયા ઉદ્ધવ ઠાકરે
શિવસેના નેતા એકનાથ શિંદેએ ત્રણે પાર્ટીઓની સંયુક્ત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતા રૂપે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવ કર્યો.
શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક માટે ત્રણે પાર્ટીઓના નેતા અને ધારાસભ્ય મુંબઈની હોટલ ટ્રાઈડેંટ પહોંચી ચૂક્યા છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ પણ ત્યાં હાજર છે. શિવસેના નેતા એકનાથ શિંદેએ ત્રણે પાર્ટીઓની સંયુક્ત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતા રૂપે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવ કર્યો.
ત્યારબાદ એનસીપી નેતા નવાબ મલિકે સંયુક્ત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનુ અનુમોદન કર્યુ. વળી, કોંગ્રેસ નેતા નિતિનરાવ રાઉતે સંયુક્ત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનુ અનુમોદન કર્યુ. વળી, સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી સહિત અન્ય પાર્ટીઓના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેના નામનુ અનુમોદન કર્યુ.
નવાબ મલિકે કહ્યુ કે આ મહાવિકાસ અઘાડી માત્ર 5 વર્ષો માટે નહિ પરંતુ આગામી 20-30 વર્ષો માટે છે. અમે શિવાજી મહારાજના આદર્ષો પર આ મહાવિકાસ અઘાડી લઈને આગળ વધીશુ. સૂત્રો મુજબ શિવસેના ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરેનુ શપથગ્રહણ મુંબઈના શિવાજી પાર્કમાં થાય. એવા પણ સમાચાર છે કે શિવસેના આ શપથગ્રહણમાં વિપક્ષના ઘણા નેતાઓને બોલાવી શકે છે.
Mumbai: Shiv Sena leader Eknath Shinde moves resolution to form 'Maha Vikas Aghadi', the alliance of Shiv Sena-NCP-Congress. NCP's Nawab Malik & Congress' Nitin Raut second it. #Maharashtra https://t.co/RKcB4077W9
— ANI (@ANI) 26 November 2019
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદ પરથી આપ્યુ રાજીનામુ