કૃષિ કાયદાની વાપસીથી વ્યથિત છે ઉમા ભારતી, કહ્યું- 'આ ભાજપના કાર્યકરોની નિષ્ફળતા છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 3 કૃષિ કાયદાઓને પાછો ખેંચવાના નિર્ણય પર જ્યાં વિપક્ષી પાર્ટીઓ તેને ખેડૂતોની જીત અને અહંકારની હાર ગણાવી છે, તો બીજી તરફ હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આકરા પ્રહારો કર્યા છે.
લખનઉ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 3 કૃષિ કાયદાઓને પાછો ખેંચવાના નિર્ણય પર જ્યાં વિપક્ષી પાર્ટીઓ તેને ખેડૂતોની જીત અને અહંકારની હાર ગણાવી છે, તો બીજી તરફ હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક પછી એક ટ્વીટ કરીને કહ્યું છે કે 'કૃષિ કાયદાની વાપસી એ ભાજપના કાર્યકરોની નિષ્ફળતા છે'.
ઉમા ભારતીએ સોમવારના રોજ ટ્વિટર પર લખ્યું કે, 'હું છેલ્લા 4 દિવસથી વારાણસીમાં ગંગાના કિનારે છું. 19મી નવેમ્બર, 2021નારોજ, જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી, ત્યારે હું અવાચક થઈ ગઇ હતી, તેથી હું 3 દિવસ બાદ જવાબ આપી રહી છું. અમે કૃષિ કાયદાઓ અંગે વિપક્ષના સતત પ્રચારનો સામનો કરી શક્યા નથી. તેથી જ હું તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનથી ખૂબ જ વ્યથિત થઈ ગઇ હતી.

PM મોદીએ મહાનતા સ્થાપિત કરી : ઉમા ભારતી
ઉમા ભારતીએ વધુમાં લખ્યું કે, 'જો વડાપ્રધાન મોદી ખેડૂતોને કૃષિ કાયદાનું મહત્વ સમજાવી શક્યા નથી, તો આપણે બધા ભાજપના કાર્યકરોમાં તેની ઉણપ છે, અમેખેડૂતોને તે યોગ્ય રીતે કેમ સમજાવી શક્યા નથી. મારા નેતા માનનીય વડાપ્રધાન મોદીએ કાયદાઓ પરત ખેંચ્યા બાદ પણ તેમની મહાનતા સ્થાપિત કરી છે. આપણાદેશના આવા અનોખા નેતા દરેક ઉંમરે જીવે, સફળ રહે, આ જ હું બાબા વિશ્વનાથ અને મા ગંગાને પ્રાર્થના કરું છું.

વડાપ્રધાન મોદીએ ખેડૂતોને કરી અપીલ
જો કે, વડાપ્રધાન મોદીએ તમામ ખેડૂતોને આંદોલન બંધ કરવાની અપીલ કરી હતી, પરંતુ ખેડૂતો આંદોલન રોકવાના મૂડમાં નથી. યુનાઇટેડ કિસાન મોરચા (SKM)એ આજેલખનઉમાં કિસાન મહાપંચાયત બોલાવી હતી, જ્યાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, 'અમારું આંદોલન સ્થગિત કરવામાં આવશે નહીં'.

27મીએ બેઠક યોજાશે
તેથી એક દિવસ પહેલા ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું હતું કે, જ્યાં સુધી સંસદમાં ત્રણ કૃષિ કાયદા સત્તાવાર રીતે રદ્દ કરવામાં ન આવે, ત્યાં સુધી ખેડૂતોનુંઆંદોલન ચાલુ રહેશે.
27મીએ ફરીથી સંયુક્ત કિસાન મોરચાની બેઠક મળશે. એટલું જ નહીં ખેડૂતોએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા












Click it and Unblock the Notifications
