
ભારતે ખાલિસ્તાન સમર્થિત સંગઠન ‘સિખ ફૉર જસ્ટીસ' પર લગાવ્યો પ્રતિબંધ
ભારત સરકારે બુધવારે ખાલિસ્તાન સમર્થિત સંગઠન 'સિખ ફૉર જસ્ટીસ' (SFJ) પર પ્રતિબંધ લગાવી દીધો છે. એમએચએના સૂત્રોના જણાવ્યા મુજબ 'સિખ ફૉર જસ્ટીસ' સંગઠન અમેરિકા, કેનેડા, બ્રિટન વગેરેમાં વિદેશી રાષ્ટ્રીયતાના અમુક કટ્ટરપંથી સિખોનું એક સંગઠન છે. જે યુપીએ, અધિનિયમ 1967ની જોગવાઈ 3(1) હેઠળ ગેરકાયદેસર છે. આની સામે 12 કેસ ફાઈલ કરાયેલ છે. આ સંગઠનના લગભગ 39 લોકોની ધરપકડ કરવામાં આવી છે. SFJના ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મોદી કેબિનેટે POCSO એક્ટ સુધારાને આપી મંજૂરી, બિલમાં મોતની સજાની જોગવાઈ

ભારત સરકારે હાલમાં આ સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો
એપ્રિલ 2019માં નરેન્દ્ર મોદી સરકારના અનુરોધ પર પાકિસ્તાન પણ આ સંગઠન પર પ્રતિબંધ લગાવી ચૂક્યુ છે. ગૃહ મંત્રાલયના સૂત્રો મુજબ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પમ્મા ભારત-ઈંગ્લેન્ટ વિશ્વકપ મેચ દરમિયાન જોવા મળ્યો હતો. તે પણ ‘સિખ ફૉર જસ્ટીસ' સાથે જોડાયેલો છે. કેન્દ્ર સરકારે ‘સિખ ફૉર જસ્ટીસ' પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય પંજાબ સહિત ઘણા રાજ્યોની સલાહ બાદ લીધો છે. એટલુ જ નહિ પ્રમુખ સિખ એકમોએ પણ SFJની અલગાવવાદી ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.

પંજાબમાં માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યુ છે સંગઠન
વળી, એવા પણ સમાચાર સામે આવ્યા છે કે એસએફજે પોતાની અલગાવવાદી વિચારધારાના પ્રચાર માટે કરતારપુર કૉરિડોરનો ઉપયોગ કરવા ઈચ્છતો હતો. વળી, એ વાતના પણ કોઈ ઠોસ પુરાવા નથી કે પાકે સમૂહ પર અંકુશ લગાવ્યો છે કે નહિ. 14 તારીખે કરતારપુર વાર્તા દરમિયાન તીર્થયાત્રીઓના સુરક્ષા અંગે ભારત દ્વારા આ મુદ્દાને ઉઠાવવાની સંભાવના છે. ભારત સરકારે હાલમાં આ સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ સંગઠન રેફરેન્ડમ 20-20 ચલાવી રહ્યુ હતુ. આ સંગઠન એક ઑનલાઈન કેમ્પેઈન ચલાવી રહ્યુ હતુ. સાથે જ ખાલિસ્તાન સંગઠન પંજાબનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યુ હતુ.

અમરિંદર સિંહે પ્રતિબંધને ગણાવ્યુ ગેરકાયદેસર
ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યુ કે પંજાબ પોલિસ અને એનઆઈએએ પંજાબમાં ઘણી હિંસક ગતિવિધિઓમાં શામેલ SFJ ના ઘણા મૉડ્યુલનો ભાંડાફોડ કર્યુ. તપાસમાં માલુમ પડ્યુ કે કાર્યકર્તા કટ્ટરપંથી હતા અને વિદેશોમાંથી એસએફજે હેન્ડલર્સ ગુરપતવંત સિંહ,પન્નુન, હરમીત સિંહ, પરમજીત સિંહ પમ્મા મની લૉન્ડ્રિંગ દ્વારા તેમને પૈસા મોકલી રહ્યા હતા. વળી, સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ‘સિખ ફૉર જસ્ટીસ' ને પ્રતિબંધ કરવાના ભારત સરકારના નિર્ણયને ગેરકાયદેસર ગણાવી દીધા છે.