મોદી કેબિનેટનો વિસ્તાર, કોના આવશે “અચ્છે દિન”?
અલાહાબાદની ભાજપ કાર્યકારિણી બેઠક સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેબિનેટમાં પરિવર્તનના એંધાણ આપી ચુક્યા હતા. સુત્રો પ્રમાણે જાણવા મળ્યુ છે કે મોદી પોતાના કેબિનેટનો વિસ્તાર કરશે. આ અંગે સરકારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે ચર્ચા કરી હતી. 19 થી 23 ની વચ્ચે મોદી પોતાના કેબિનેટનો વિસ્તાર કરે તેવી શક્યતાઓ છે. ત્યારે આ અંગે રાજકિય ગલીઓ ચર્ચા થઇ રહી છે કે મોદીના આ કેબિનેટ વિસ્તારથી કોને કોને લાભ થઇ શકે છે?
અસમના મુખ્યમંત્રી બનનારા સર્વાનંદ સોનોવાલની જગ્યાએ રામેશ્વર તેલી અથવા રેમન ડેકા માંથી કોઈ એકને મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. રામેશ્વર તેલી બીજેપી સાંસદ છે તો રમન ડેકા સાંસદ સાથે વર્તમાનમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ છે. સાથે જ ઈલાહાબાદથી સાંસદ શ્યામાં ચરણ ગુપ્તા, જબલપુરથી સાંસદ રાકેશસિંહ ,બીકાનેરથી સાંસદ અર્જુન રામ મેઘવાલ, બીજેપી મહાસચિવ ઓમ માથુર અને વિનય સહસ્ત્રબુધ્ધેને મંત્રી બનાવવામાં આવી શકે તેવી શક્યતા છે.
સાથે જ બની શકે છે કે નિહાલચંદ, ગિરીરાજસિંહ અને નજમા હેપ્તુલ્લાહ જેવના મંત્રી પદમાંથી નીકાળી દેવામાં આવે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આ કેબિનેટ પરિવર્તનથી કોણ રાજકીય લાભ ખાટશે અને કોણ નહીં. અને તેનાથી લોકો કેટલો લાભ થશે તે તો હવે જોવું જ રહ્યું.