ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના દાવા પર યૂપી પોલીસનો જવાબ, કાફલા પર ગોળીબાર નથી થયો
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના દાવા પર યૂપી પોલીસનો જવાબ, કાફલા પર ગોળીબાર નથી થયો
લખનઉઃ આજામ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે રવિવારે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં તેમના કાફલા પર ગોળીબાર થયો. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના આ દાવા પર હવે યુપી પોલીસનું નિવેદન સામે આવ્યું છે. બુલંદશહેરના એસએસપી સંતોષ કુમાર સિંહે કહ્યું કે આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદના કાફલા પર ગોળી ચાલી હોવાના કોઈ સબુત મળ્યાં નથી, આ વાતની પુષ્ટિ નથી થઈ.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બુલંદશહેરના એસએસપી સંતોષકુમાર સિંહે કહ્યું કે હજુ સુધી ઘટનાની પુષ્ટિ થઈ નથી અને એક જ ન્યૂઝ ચેનલ કથિત હુમલા સંબંધિત સમાચાર બતાવી રહી છે. આઝાદ સમાજ પાર્ટી અને AIMIMના કાર્યકરો વચ્ચે હંગામો થયો હતો, જો ફરિયાદ નોંધાય તો અમે કેસ નોંધીને તપાસ આગળ ધપાવીશું.
મારા કાફલા પર ગોળીબાર થયોઃ ચંદ્રશેખર
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યું હતું કે, 'બુલંદશહેરની ચૂંટણીમાં આપણા ઉમેદવારોથી વિપક્ષી પાર્ટીઓ ડરી ગઈ છે અને આજની રેલીએ તેમની ઉંઘ ઉડાવી દીધી છે. જેના કારણે કાયરતાપૂર્ણ રીતે મારા કાફલા પર ગોળીઓ ચલાવવામાં આવી. જે તેમની હારની હતાશા બતાવે છે. તેઓ માહોલ ખરાબ થાય તેવું ઈચ્છે છે પરંતુ અમે એવું નહિ થવા દઈએ.'
ચંદ્રશેખર આઝાદના ટ્વીટ પર યુપી પોલીસે પણ પ્રતિક્રિયા આપી, પોલીસે કહ્યું કે, 'AIMIM અને આઝાદ સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થવાની સૂચના હતી જેના પર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરિંગની ઘટના ખોટી છે. તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.'
નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના બુલંદશહેર સહિત 7 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થનાર છે. આ ચૂંટણીથી ભીમ આર્મી ચૂંટણી રાજનીતિમાં પગલું માંડી રહી છે. આઝાદે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે તેઓ 3 નવેમ્બરે થનાર પેટા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે કાફલા પર ગોળીબાર થયો હતો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
